સ્વાસ્થ્ય ફક્ત બીમારીઓની અનુપસ્થિતિનું નામ છે નહી. અમે આપને સર્વાંગી સ્વાસ્થ્ય વિષે જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. સ્વાસ્થ્યનો મતલબ અલગ અલગ લોકો માટે અલગ અલગ હોય છે. પરંતુ જો આપણે એક સાર્વભૌમિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો આપે પોતાને સ્વસ્થ કહેવાનો અર્થ થાય છે કે, આપણે પોતાના જીવનમાં આવનાર બધી જ સામાજિક, શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવામાં સફળતાપુર્વક સક્ષમ હોવું. આમ તો આજના સમયમાં આપને પોતાને સ્વસ્થ રાખવા માટે ઘણી બધી આધુનિક ટેકનીક ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ આ બધું એટલું બધું કારગત છે નહી.
શરીરને સ્વસ્થ અને સાફ રાખવા માટે દરરોજ નાહવું ખબ જ જરૂરી છે, પરંતુ સ્નાન કરતા સમયે જો આપ ઘસી ઘસીને સાબુ લગાવો છો તો તે આપના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
હવે આપ વિચારી રહ્યા હશો કે, અરે સાબુ કેવી રીતે નુકસાન કરી શકે છે. તો ચાલો હવે અમે આપને સાબુના ઘસી ઘસીને ઉપયોગ કરવાથી થતા નુકસાન વિષે જણાવીશું. અમે આપને જણાવીશું કે, સ્નાન કરતા સમયે શરીરના ક્યાં અંગો પર સાબુ લગાવવો જોઈએ નહી.
અન્ડર આર્મ્સ :
સામાન્ય રીતે છોકરાઓ જયારે પણ સ્નાન કરે છે તો ત્યારે ખુબ જ સાબુ લગાવે છે. છોકરાઓ પોતાના શરીરના દરેક અંગ પર ઘસી ઘસીને સાબુ લગાવે છે. આવા લોકો પોતાના અંડર આર્મ્સમાં પણ સાબુને ઘસવા લાગે છે. શરીરના અન્ય અંગોની તુલનામાં અંડર આર્મ્સ ખુબ જ કોમળ હોય છે. આવામાં અંડર આર્મ્સ ખુબ જ કોમળ હોવાના કારણે ત્યાં સાબુ લગાવવાથી સાબુમાં રહેલ કેમિકલ આપના અંડર આર્મ્સને નુકસાન પહોચાડી શકે છે.
ચહેરો.:
આજના સમયમાં કોઇપણ છોકરો હોય કે છોકરી દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ સુંદર ચહેરા માટે આપે ખુબ જ સંભાળ રાખવાની જરૂરિયાત હોય છે. ચહેરાની ત્વચા ખુબ જ કોમળ હોય છે એટલે સાબુમાં રહેલ કેમિકલ્સ આપના ચહેરાની કોમળતાને નષ્ટ કરી શકે છે. જેના લીધે આપે ક્યારેય આપના ચહેરા પર સાબુ લગાવવો જોઈએ નહી. જો આપે શક્ય હોય તો આપે આપના ચહેરા પર સાબુ લગાવવાને બદલે ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ.
હેર :
આપે વાળને ધોતા સમયે વાળમાં શેમ્પુ લગાવવું જોઈએ. આપે ક્યારેય વાળમાં સાબુનો ઉપયોગ કરવો જોઈએ નહી. વાળ ખુબ જ મુલાયમ હોય છે. જો આપ વાળમાં સાબુ લગાવો છો તો સાબુમાં રહેલ કેમિકલ આપના વાળને નુકસાન પહોચાડી શકે છે અને આપના વાળ તુટવા લાગે છે. એટલું જ નહી કેટલાક લોકોના વાળ ખુબ જ ડ્રાઈ થઈ જાય છે. જયારે પણ આપ સ્નાન કરો છો ત્યારે આપે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વાળમાં સાબુ લાગવો જોઈએ નહી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત