Site icon Health Gujarat

આહારમાં આ રીતે કરી દો સોડિયમનુ પ્રમાણ ઓછુ, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ

જો તમને પણ તમારા સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થાની ચિંતા છે, તો આજથી તમારા ખોરાકમાં સોડિયમની માત્રા ઓછી કરી દો. 3
સરળ પદ્ધતિઓ જાણો જે તમને આમાં મદદ કરશે.

શું તમે જાણો છો કે ઉચ્ચ સોડિયમની માત્રા તમને ઘણા જીવલેણ રોગોનો શિકાર બનાવી શકે છે? બ્લડ પ્રેશરની સમસ્યાઓ ધરાવતા
લોકો માટે સોડિયમ સૌથી વધુ ખતરનાક હોય છે. બ્લડપ્રેશરના દર્દીઓમાં થોડું સોડિયમ પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આ
સિવાય, આરોગ્ય સભાન (હેલ્થ કોન્સિયન્સ) લોકોએ તેમના આહારમાં સોડિયમ પણ ઓછું કરવું જોઈએ, કારણ કે લાંબા ગાળાના
વધુ પડતા સોડિયમ હૃદય રોગ, વોટર રિટેંશન વગેરેનું જોખમ રાખે છે. જો તમે તમારા આહારમાં સોડિયમની માત્રા ઘટાડવા માંગો
છો, પરંતુ તે કેવી રીતે કરવું તે ખબર નથી, તો અમે તમને મદદ કરીશું. નીચે જણાવેલ 3 સરળ પદ્ધતિઓનું પાલન કરીને, તમે
ખોરાકમાં સોડિયમની માત્રા ઘટાડી શકો છો.

Advertisement
image source

લેબલ્સ જોઈને જ ફુડ્સ આઇટમ્સ ખરીદો (લો સોડિયમ પ્રોડક્ટ આ રીતે ખરીદો)

જ્યારે પણ તમે પેકેજ્ડ વસ્તુ ખરીદો છો, ત્યારે તેનું લેબલ જરૂર તપાસો. બધી સારી બ્રાંડ્સ તેમના પેકેટો પર પોષક મૂલ્યો
(ન્યુટ્રિશનલ વેલ્યુ) ખાસ લખે છે, જેમાં સોડિયમની માત્રા પણ લખેલી હોય છે. તે માટે જ સામાન ખરીદતી વખતે આ બાબતોનું
ખાસ ધ્યાન રાખો.

Advertisement

બે બ્રાન્ડના ઉત્પાદનોની તુલના કરો અને જુઓ કે કયા પ્રોડક્ટમાં સોડિયમ ઓછું છે અને પોષક તત્વો વધુ છે.

જો કોઈ ખાદ્ય ચીજોમાં ‘લો-સોડિયમ’ અથવા ‘નો-સોડિયમ’ વર્જન ઉપલબ્ધ છે, તો તે લેવાનું તમારા માટે વધુ સારું રહેશે, ખાસ
કરીને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે.

Advertisement
image source

ધ્યાનમાં રાખો કે કેટલાક એવા ખોરાક હોય છે જેમાં વધુ માત્રામાં જ સોડિયમ હોય છે. તેથી, તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું
જોઈએ, જેમ કે સૂપ, સોયા સોસ, પેકેટ નાસ્તા, અથાણા વગેરે.

જો ડૉક્ટરે તમને સોડિયમ લેવાનું ના કહ્યું છે, તો તમે અથાણું, પેકેટ નાસ્તા કે નમકીન વગેરેનું સેવન ન કરો તો તે વધુ સારું છે.

Advertisement

રસોઈ બનાવતી વખતે આ રીતે બનાવો (લો સોડિયમ કુકિંગ ટિપ્સ)

જો તમે ઇચ્છતા હોવ તો, નાની નાની બાબતોનું ધ્યાન રાખીને, તમે રાંધતી વખતે સોડિયમની માત્રા ઘટાડી શકો છો. જેમ કે,

Advertisement
image source

જો તમે માનો છો કે ખોરાકનો સ્વાદ ફક્ત મીઠાથી (સોડિયમ) આવે છે, તો તમે ખોટા છો. તમે હળવા મીઠા અને બીજી કેટલીક
વસ્તુઓ જેવી કે મસાલા, ઔષધિઓ (હર્બ્સ), કુકિંગ વાઇન, લીંબુ, વિનેગર (સરકો) વગેરેથી પણ સ્વાદિષ્ટ ખોરાક બનાવી શકો છો.

તમે તૈયાર ખોરાકની જગ્યાએ તાજા ખોરાકનો ઉપયોગ કરીને સોડિયમની માત્રાને પણ ઘટાડી શકો છો, કારણ કે તૈયાર ખોરાકને
બગાડતા અટકાવવા માટે ઘણીવાર તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે.

Advertisement
image source

તમે અમુક ખાદ્ય પદાર્થોને ખોરાકમાં નાખવાનું બંધ કરીને પણ તમે સોડિયમની માત્રાને ઘટાડી શકો છો, જેમ કે – મોનોસોડિયમ
ગ્લુટામેટ (MSG) નો ખોરાકમાં ઉપયોગ થાય છે. તેમાં માત્ર સોડિયમ જ નથી હોતું, તે સ્વાસ્થ્ય પર પણ ઘણી આડઅસર કરે છે.
તેથી, તેનું સેવન ન કરવું જોઈએ.

આ સિવાય તમે તમારા રોજિંદા ભોજનમાં લો-સોડિયમ સોલ્ટ (મીઠું) પણ વાપરી શકો છો.

Advertisement

તમે શું ખાઈ રહ્યા છો તેના પર વિશેષ ધ્યાન આપો

શક્ય હોય તેટલું ઓછામાં ઓછું બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ ખોરાકનું સેવન ઓછું કરો.

Advertisement
image source

જ્યારે પણ તમે રેસ્ટોરાંમાં જમવા જાઓ છો, ત્યાં વેઈટરને કહો કે તમારે થોડું ઓછું મીઠું, ઓછું તેલ અને ઓછા મસાલાની જરૂર છે.
તો એવો જ ખોરાક તમને આપે.

રેસ્ટોરાંમાં, ખાસ કરીને ચાઇનીઝ ખોરાક, ખાતી વખતે, MSG નો ઉપયોગ કરવાની સાફ ના પાડો.

Advertisement

તાજા ફળ, શાકભાજી અને આખા અનાજ ખાઓ. તેમાં પણ સોડિયમ હોય જ છે, પરંતુ તેમાં તેનું પ્રમાણ ઓછું હોય છે.

ટોમેટો કેચઅપ, ચીલી કેચઅપ, ઓલિવ પિકલ્સ, મસ્ટર્ડ સોસ, સેન્ડવિચ સ્પ્રેડ, મેયોનીઝ, વગેરેમાં પણ સોડિયમ હોય છે. તેથી તેનું
સેવન ઓછું કરો.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version