Site icon Health Gujarat

ઉપવાસ દરમિયાન ભૂખને છીપાવવાનુ કામ કરે છે આ વસ્તુ, વાંચો આ લેખ અને જાણો…

વ્રત દરમિયાન કુટ્ટુ એટલે કે સિંગોડા લોટ અને કુટ્ટુ ના બીજ નું સેવન કરવામાં આવે છે. જ્યારે કુટ્ટુ નો લોટ થી પુરી, પરાઠા, પકોડા અને અન્ય ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે, ત્યારે કુટ્ટુ બીજ દ્વારા પણ ખીચડી અને પુલાવ બનાવી ને ખવાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે કુટુ નો વપરાશ માત્ર સ્વાદ અને ભૂખ ને છીપાવવા માટે કરો છો તે માત્ર ભૂખ જ દૂર નથી કરતું પરંતુ અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પણ આપે છે ? આજે અમે તમને કુટ્ટુના સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું.

બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે

Advertisement
image soucre

કુટ્ટુ બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરે છે. તે હાનિકારક રસાયણોના ઉપયોગ વિના કુદરતી રીતે બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. કુટ્ટુમાં મેગ્નેશિયમ ની મોટી માત્રા હોય છે, જે રક્તવાહિનીઓ ને આરામ આપીને બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હાડકાં અને દાંત ને મજબૂત બનાવે છે

Advertisement
image soucre

કુટ્ટુ હાડકાં અને દાંતને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર છે. જે હાડકાં અને દાંતને મજબૂત કરવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે

Advertisement

કુટ્ટુમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી સ્ટ્રેસ ગુણધર્મો મોટી માત્રામાં હોય છે. આ માનસિક તણાવ ને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેના સેવનથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

બ્લડ સુગરના સ્તર ને નિયંત્રિત કરે છે

Advertisement
image soucre

કુટ્ટુ બ્લડ સુગર ના સ્તરને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે. તેમાં ઘણું ફાઇબર હોય છે, જે બ્લડ સુગર નું સ્તર વધતું અટકાવે છે. કુટ્ટુમાં ડાયાબિટીસ વિરોધી ગુણ પણ સારી માત્રામાં હોય છે. આ ટાઇપ ૨ ટાઇબિટ્સ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

Advertisement
image source

કુટ્ટુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેને ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. જે ભૂખ ઓછી કરે છે. તેનાથી શરીર ને ઊર્જા પણ મળી જાય છે જેથી તે નબળું ન લાગે.

પેટની તકલીફ ને દૂર રાખે

Advertisement
image soucre

લોકો ઉપવાસના નામે ઢગલો તળેલી વસ્તુઓ ખાય છે, જેનાથી કજિયાત થઈ શકે છે પરંતુ આ લોટમાં સ્ટાર્ચ હોવાથી તેને ખાનાર ને પેટની તકલીફ થતી નથી.

કોલેસ્ટ્રોલમાં ઘટાડો

Advertisement
image soucre

કુટ્ટુ ના લોટમાં વિટામિન, આયરન, મેગ્નેશિમ, ફોસ્ફરસ વગેરે ની ભરપૂર પ્રમાણમાં હાજરી બ્લડમાં ઑક્સીજનના પ્રવાહને વધારે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલ ને લગતી તકલીફો દૂર થાય છે.

Advertisement
Advertisement
Exit mobile version