ઘાસ પર ચાલો
આપણે મોટાભાગે લોકોને સવારના સમયે અને સાંજના સમયે પાર્કમાં ચાલતા જોતા હોઈએ છીએ. ક્યારેકને ક્યારેક આપને પણ ડોક્ટર્સએ પાર્કમાં ચાલવા જવાની સલાહ જરૂરથી આપી જ હશે. પરંતુ પાર્કમાં ચાલવાની યોગ્ય રીત શું છે તેના વિષે કદાચ જ આપને કોઈ જાણકારી હશે. આ સાથે જ આજે અમે આપને ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી થતા ઘણા બધા ફાયદાઓ વિષે પણ જણાવીશું.
શું આપ જાણો છો એ, પાર્કમાં શુઝ કે ચપ્પલ પહેરીને ચાલવાથી વધારે ફાયદાકારક ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી થાય છે. ચાલો હવે જાણીશું કે, પાર્કમાં ખુલ્લા પગે ચાલવાથી આપને કેટલીક ખતરનાક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.
-આપના પગમાં સોજા આવશે નહી.:
મોટાભાગે ઉમર વધવાની સાથે જ લોકોમાં પગ સોજા રહેવાને લઈને ફરિયાદ રહેવા લાગે છે કે, ડોક્ટર્સની ફી ચુકવતા ચુકવતા આપનું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ જાય છે, પરંતુ આપને આપના પગના સોજાથી છુટકારો કે રાહત મળી શકતા નથી. ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી આપ આપના પગમાં થતી સોજાની તકલીફ માંથી છુટકારો મેળવી શકો છો. એનાથી ઓક્સિજનયુક્ત બ્લડ આપના શરીરમાં યોગ્ય રીતે પરિભ્રમણ થવા લાગે છે અને પગમાં સોજા આવવાની તકલીફ થતી નથી.
-આપ અનિદ્રાને નિયંત્રિત કરી શકો છો.:
ઊંઘ ના આવવાની બીમારીને અનિદ્રા કહેવામાં આવે છે. અનિદ્રા આ એક સ્લીપિંગ ડીસઓર્ડર છે. અનિદ્રાની બીમારીમાં વ્યક્તિ યોગ્ય રીતે ઊંઘ લઈ શકતા નથી. પરંતુ અનિદ્રાથી પીડિત વ્યક્તિઓ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આપને અનિદ્રાની તકલીફ માંથી છુટકારો મેળવી શકો છો. અનિદ્રાથી પીડિત વ્યક્તિઓએ સાંજના સમયે આપે અંદાજીત ૧૫ મિનીટ જેટલો સમય રોજ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાનું હોય છે.
-આંખોની રોશની તેજ થાય છે.:
આપને જણાવી દઈએ કે, આપણા પગમાં એક પ્રેશર પોઈન્ટ હોય છે. ઘાસ પર સવારના સમયે ખુલ્લા પગે ચાલવાથી આપના પગના પ્રેશર પોઈન્ટ સ્વસ્થ રહે છે. એવું માનવામાં આવે છે કે ઘાસના લીલા રંગને જોવાથી આંખોને રાહત મળે છે. ઘાસ પરનું સવારના સમયના ઝાકળ બિંદુ પણ આપની આંખો માટે પણ ખુબ ફાયદાકારક સાબિત થાય છે.
નર્વસ સીસ્ટમ તંદુરસ્ત થાય છે.:
ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી પગના વિશિષ્ટ એકયુપંકચર પોઈન્ટ ઉત્તેજિત થાય છે જે આપણા શરીરની નર્વસ સીસ્ટમ સાથે જોડાયેલ હોવાથી નર્વસ સીસ્ટમને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે, જેનાથી આપણી નર્વસ સીસ્ટમમાં સુધારો જોવા મળે છે. નિયમિત રીતે રોજ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી વૈરીકોઝ વેન્સના કારણે દુઃખાવા, ખાસ કરીને ડાયાબીટીસના દર્દીઓની વચ્ચે ઓછું કરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત