Site icon Health Gujarat

શું તમે વજન વધારવા ઇચ્છો છો? તો આજથી જ ડાયટ પ્લાનમાં સામેલ કરો આ વસ્તુઓ

ઘણી સ્ત્રીઓ તેમના ઓછા વજનના કારણે ચિંતિત હોય છે.જે સ્ત્રીઓને આવી સમસ્યા હોય છે તેમણે પણ તેમના આહારમાં થોડો ફેરફાર કરવો જોઇએ.

સ્ત્રીઓ મોટાભાગે વજન વધારવાથી પરેશાન રહે છે અને તેને ઘટાડવા માટેની પદ્ધતિઓ પણ અપનાવે છે. કેટલીક મહિલાઓ એવી પણ હોય છે,જેનું વજન ખૂબ ઓછું હોય છે.આ મહિલાઓ વજન વધારવા માટે આહારમાં વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે,તો પણ તેમને વજનમાં કંઈ ફેર નથી પડતો અને જો વજન ન વધે તો તે વધુ અસ્વસ્થ થઈ જાય છે.

Advertisement
IMAGE SOURCE

જો કોઈ મહિલા પોતાનું વજન વધારવા માંગે છે,તો તેણે તેના આહારમાં થોડો ફેરફાર કરવો પડશે.આ ફેરફારના કારણે તમારો વજન પણ વધશે અને તમે સ્વસ્થ પણ રેહશો.તો ચાલો આપણે જાણીએ કે મહિલાઓએ પોતાનું વજન વધારવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ અને તેમનો સમય શું હોવો જોઈએ …

દરરોજ 500 કેલરીનું સેવન

Advertisement
IMAGE SOURCE

પાતળી સ્ત્રીઓ તેમના આહારમાં દરરોજ 500 કેલરીવાળો ખોરાક ખાવો જોઈએ,તેથી દર અઠવાડિયે તેમનું વજન અડધા કિલોથી વધુ વધી શકે છે.પરંતુ આ કરતી વખતે,તેઓએ એ ધ્યાનમાં પણ રાખવું જોઈએ કે વધુ કેલરીવાળું ખાવાથી તેમને નુકસાન પણ થઈ શકે છે.સ્ત્રીઓએ પ્રયાસ કરવો જોઇએ કે ગમે તે 500 કેલરી ખોરાક તે ખાય છે, તેમાં સંતુલિત માત્રામાં ફાઇબર,પ્રોટીન અને ચરબી હોવી જોઈએ,જેથી તેમનું શરીર મજબૂત બને અને તેમનો વજન ઝડપથી વધે.

દિવસમાં ઘણી વખત ખોરાક ખાવો જોઈએ

Advertisement
image source

મોટાભાગની સ્ત્રીઓ આખો દિવસ કઈ જ નથી ખાતી અને એક સમયે ખૂબ જ ખોરાક લે છે,પરંતુ આમ કરવાને બદલે,દિવસમાં 5 અથવા 6 નાની માત્રામાં ખાવાથી તેમના માટે વધુ ફાયદાકારક રહેશે.સ્ત્રીઓએ કાળજી લેવી જોઈએ કે તેઓ જે પણ ખાય છે,તેમાં તેમનું વજન વધારવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ચરબી રહેલી છે.પાતળી સ્ત્રીઓએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો તેઓ વજન વધારવા માંગતા હોય તો શરીરમાં માત્ર ચરબી જ વધવી જોઈએ નહીં,પરંતુ પ્રોટીનવાળો ખોરાક ખાવાથી માંસપેશીઓને પણ મજબૂત કરવી જરૂરી છે.

ચરબીવાળો ખોરાક લો

Advertisement
image source

ચરબીયુક્ત ખોરાક ખાવાથી શરીરનું વજન પણ વધે છે,તેથી સ્ત્રીઓને તેમના આહારમાં દરરોજ સવારે અને સાંજે દૂધ પીવું જોઈએ.આ સાથે,ખોરાકમાં વધુને વધુ માખણ અને ઘીનો ઉપયોગ કરવાથી પણ વજન વધે છે.આ સિવાય સોયાબીન,બદામ,દહીં વગેરે પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ.જે મહિલાઓનું કોલેસ્ટરોલનું સ્તર વધ્યું છે,તેઓએ વધારે ચરબીયુક્ત ખોરાક ન લેવો જોઈએ.તેના બદલે તેમને કેળાનો રસ પીવો જોઈએ, કેળાના રસથી પણ વજન વધારી શકાય છે.

જીવનશૈલી બદલો

Advertisement
image source

જે મહિલાઓ પોતાનું વજન વધારવા માંગે છે,તેઓએ તેમની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે,કારણ કે તેઓ ઓછા ખોરાક ખાઈ છે અને વધુ શારીરિક કાર્ય કરે છે,ઉપરાંત કેટલાક લોકો રોગને લીધે પણ વજન ગુમાવે છે,જેમ કે થાઇરોઇડમાં વધારો થવાને કારણે અથવા હોર્મોન્સમાં અસંતુલનને કારણે વજનમાં અચાનક ઘટાડો પણ અચાનક થાય છે.આ માટે,તમારી આહાર યોજનાને ચાર્ટમાં બનાવવી અને તેના આધારે આહાર લેવો મહત્વપૂર્ણ છે,જેથી તમારું વજન વધે,તમે રોગોથી પણ દૂર રહો અને સ્વસ્થ રહો.

ભૂખ વધારવાની કસરત

Advertisement
image source

જે મહિલાઓ વજન ઓછું છે અને તેમને ભૂખ ઓછી લાગે છે,તેઓએ નિયમિત કસરત કરવી જોઈએ,જેથી તેમને વધુ ભૂખ લાગે,જેના કારણે વધુ ખાવાથી શરીરમાં કેલરીની માત્રા વધશે અને વજન પણ વધશે.પરંતુ એ પણ નોંધ લો કે વધુ કસરત તમારું વજન પણ ઘટાડી શકે છે.તેથી તે વાત હંમેશા યાદ રાખો કે,તમે જે પણ કસરત કરો છો તે યોગ્ય છે.જેથી તમારા વજન વધારવામાં કોઈ તકલીફ ના થાય.

ડોક્ટરની સલાહ પણ લો

Advertisement
image source

સંતુલિત આહાર કરવો અને વજન વધારવા માટે કસરત કરવી એ એક સાર્થક પ્રયાસ હોઈ શકે છે,પરંતુ જો કોઈ રોગ અથવા હોર્મોન્સની સમસ્યાને કારણે વજનમાં વધારો ન કરવામાં આવે તો તેની તપાસ થવી જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી જ,તમારે તમારી શારીરિક સમસ્યા હલ કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version