વજન ઘટાડવા માટેની ટીપ્સ: કેટલીક કુદરતી પદ્ધતિઓ હોય છે, જો તમે તેને નિયમિતપણે અનુસરો છો, તો તમે વજન સરળતાથી ઓછો કરી શકશો, આ ઉપરાંત, તમે શરીરની વધારાની ચરબી પણ બાળી શકશો. તો ચાલો જાણીએ સ્થૂળતા ઘટાડવાની કુદરતી રીત-
આજે, સ્થૂળતા એ ઘણા રોગોનું મુખ્ય કારણ છે, જેમ કે – હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, કોલેસ્ટરોલમાં વધારો, ફૈટી લિવર, પાચન તંત્રને લગતા રોગો, સેક્સ સંબંધિત રોગો આની સાથે સમાજમાં હતાશા (ડિપ્રેશન) અને એકલતા (સામાજિક એકલતા) પણ આ કારણે જોવા મળે છે.
જાડાપણું ઘણા કારણોસર થાય છે જેમ કે હાઈપોથાઇરોડિઝમ, પી.સી.ઓ.ડી., સમય વગર ખાવાનું, વધારે કેલરીયુક્ત ખોરાક, જંક ફૂડ ખાવાનું, શારીરિક રીતે સક્રિય ન થવું, હોર્મોન્સની અનિયમિતતા વગેરે.
દરેક વ્યક્તિ વધારે વજન અથવા મેદસ્વીપણાને કારણે પરેશાન હોય છે અને તેને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો પણ કરે છે. કસરત કરવી, પરેજી પાળવી (ડાયેટિંગ), ડાયટ ચાર્ટને અનુસરવું જેવી બાબતો અપનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત સખત મહેનત અને જીમમાં કલાકો પરસેવો પાડવા છતાં પણ લોકો વજન ઓછું કરી શકતા નથી. આવી સ્થિતિમાં તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલીક કુદરતી પદ્ધતિઓ છે, જો તમે તેને નિયમિતપણે અનુસરો છો, તો તમે સરળતાથી વજન ઘટાળી શકો છો, તેમજ શરીરની વધારાની ચરબી પણ બાળી શકો છો. તો ચાલો જાણીએ સ્થૂળતા ઘટાડવાની કુદરતી રીત વિશે-
– જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો પછી તમારા આહારમાં ચોક્કસપણે પ્રોટીન જરૂર સામેલ કરો.
– પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી વજન અને ચરબી બંને વધે છે, તેથી તેને તમારા આહારમાંથી સંપૂર્ણ રીતે દૂર કરો.
– હેલ્ધી ખોરાક કે નાસ્તા ખાવાનો પ્રયત્ન કરો. આ તમારા શરીરમાં ચરબી વધતી રોકે છે અને વજનને પણ સરળતાથી ઘટાડે છે. તમારા આહારમાં નટ્સ, ઇંડા, ફળો અને ગાજરને સામેલ કરવાનો પ્રયત્ન જરૂર કરો.
– જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેમને તેમના આહારમાંથી ખાંડની માત્રા ઘટાડવાની જરૂર છે. ખાંડયુક્ત ખોરાક ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે.
– પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર ડિટોક્સ રહે છે, જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી જરૂર પીવો. ભોજન પહેલાં પાણી પીવાથી કેલરી ઓછી થઈ શકે છે.
– કોફી એ એક આરોગ્યપ્રદ પીણું છે જે એન્ટીઓકિસડન્ટ્સ અને અન્ય ફાયદાકારક ઘટકોથી ભરપૂર છે. કોફી પીવાથી શરીરમાં ઉર્જા શક્તિ વધે છે અને કેલરીની માત્રા પણ બળી જાય છે.
– પ્રવાહી કેલરી સોફ્ટ ડ્રિંક્સ, ફળોના જ્યુસ કે રસ, ચોકલેટ મિલ્ક અને એનર્જી ડ્રિંક્સથી આવે છે. આ પીણાં આરોગ્ય માટે ઘણી રીતે ખરાબ હોય છે અને સ્થૂળતાનું કારણ પણ બને છે.
– ગ્રીન-ટીમાં વધારે પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ્સ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય શરીરની વધારાની ચરબી પણ બાળી નાંખે છે, સાથે જ મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ કરે છે.
– તમારા આહારમાં વધુને વધુ ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજીમાં રહેલા પોષક તત્વો કેલરી બાળી નાંખે છે.
– લાલ મરચામાં કૈપ્સાઇસિન નામનું એક યૌગિક હોય છે, જે ચયાપચયને (મેટાબોલિઝમ) પ્રોત્સાહન આપી શકે છે અને ચરબીને બાળવામાં મદદ કરી શકે છે.
પરેજી પાળવી (ડાયટિંગ) તે એક એવી વસ્તુ છે જે કોઈપણ વ્યક્તિ લાંબા સમય સુધી જાળવવામાં નિષ્ફળ જાય છે. હકીકતમાં, જે લોકો નિયમિતપણે “ડાયેટિંગ” કરે છે, તેઓનો પણ થોડા સમય પછી વજન વધી જાય છે. વજન ઓછું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તંદુરસ્ત ખોરાક અને પોષક તત્વોથી તમારા શરીરને પોષવાનો પ્રયાસ કરો.
એક તંદુરસ્ત, સુખી અને ફીટ વ્યક્તિ બનવા માટે ખાવું જોઈએ, કે ન માત્ર વજન ઓછું કરવા માટે અને કસરત અને ધ્યાનને એક આદત તરીકે નિયમિત દિનચર્યામાં સામેલ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,