Site icon Health Gujarat

જો તમારે જીમમાં ગયા વગર સટાસટ વજન ઉતારવું હોય તો આજથી જ છોડી દો આ 5 આદતો, મળી જશે રિઝલ્ટ

આ વર્ષ કોરોના વાયરસના રોગચાળાને લીધે, આપણે બધાને કેટલાક સમય માટે આપણા ઘરોમાં કેદ થવાની ફરજ પડી હતી. મોટા ભાગના લોકોના સ્વાસ્થ્યને પણ તેની અસર પડી હતી. જીમ બંધ થવાને કારણે અને બહાર ન જઇ શકવાના કારણે વધતું વજન પણ એક મોટી સમસ્યાની જેમ આપણી સામે આવ્યું.

image source

જો તમે પણ નવા વર્ષમાં વજન ઓછું કરવાનું મન બનાવી લીધું છે, તો તે સમજવું મહત્વપૂર્ણ છે કે વજન ઓછું કરવા માટે, ખોરાકને સંતુલિત કરવાની જરૂર છે. આ સાથે વજન ઘટાડવા અને કસરત માટેના યોગ પણ વજન ઘટાડવા માટે લઈ શકાય છે. વજન ઓછું કરવું એટલું મુશ્કેલ નથી જેટલું તેને મેન્ટેન રાખવું. તમારે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે વજન તરત જ ઘટતું નથી. તમારે તમારા આહાર, વ્યાયામ અને આદતો પર ધ્યાન આપવું પડશે, જેના પછી તમને પરિણામો મળશે.

Advertisement

આદતો બદલવી પડશે

તમે વજન ઓછું કરવા માંગો છો અને તેના માટે ગમે એવા પ્રયાસ કરો, પરંતુ જ્યાં સુધી તમે તમારી કેટલીક આદતો છોડી ન શકો ત્યાં સુધી તે સંપૂર્ણ સફળ થઈ શકશે નહીં. આ અહેવાલમાં, અમે તમને આવી જ કેટલીક આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ટીપ્સને ધ્યાનમાં રાખીને, તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો.

Advertisement

નિંદ્રા પુરી ન કરવી

image source

તમે વિચારતા જ હશો કે ઊંઘ અને વજન વચ્ચે શું સંબંધ છે, પરંતુ તે સાચું છે કે જો તમને પૂરતી ઊંઘ ન મળી રહી હોય તો તમારું વજન વધી શકે છે. ઘણાં સંશોધનોમાં એ વાત બહાર આવી છે કે જો ઊંઘ પૂરી નહીં થાય તો ડિપ્રેશન અને મેદસ્વીપણા જેવી સમસ્યાઓ સાથે વજન પણ વધવા લાગે છે.

Advertisement

નાસ્તો ન કરવો

image source

વજન ઘટાડવા માટે લોકો હંમેશા નાસ્તો છોડી દે છે. નાસ્તો છોડવો તમારા માટે યોગ્ય સાબિત થશે નહીં. જો તમે નાસ્તો છોડો અને ભૂખ્યા રહો, તો થોડા સમય પછી તમારું મન ફાસ્ટ ફૂડ અને નાસ્તા તરફ આકર્ષવાનું શરૂ કરશે. જો તમે આ બધું ખાઈ લો છો, તો તમારું લક્ષ્ય નાશ પામશે. જો તમે સવારે નાસ્તો ન કર્યો હોય, તો તમે બપોરના ભોજનમાં તેના વળતર રૂપે વધુ ખાશો. આ રીતે તમે તમારું વજન ઓછું કરી શકશો નહિ.

Advertisement

વધારે જમશો નહિ

image source

આપણે હંમેશાં બેસીને કંઈપણ ખાવાનું શરૂ કરી દઈએ છીએ, જો આપણે કોઈની સાથે બેઠા હોઈએ છીએ, તો આપણે કેટલું ખાધું છે તેનું પણ આપણે ધ્યાન નથી હોતું. આ સમસ્યા ધીરે ધીરે વધતી જાય છે અને વ્યક્તિને મેદસ્વીપણા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે તમારું પેટ ભરાય છે ત્યારે તમારે સમજવાની જરૂર છે. સ્વાદના લીધે વધારે ન ખાવું જોઈએ. તમને જરૂર લાગે એટલું જ ખાવ. એવું કહેવામાં આવે છે કે જો આપણે ચાર રોટલી જેટલી ભૂખ લાગી હોય તો માત્ર ત્રણ જ ખાવી જોઈએ, જેથી આપણું પાચન યોગ્ય રીતે થઈ શકે.

Advertisement

જાતે ડાયટિશિયન ન બનો

image soucre

જો તમે વજન ઘટાડવાનો વિચાર કરી રહ્યા છો, તો પછી પોતાને શું ખાવું કે ન ખાવું તેનું જાતે જ નક્કી ના કરો. કોઈએ કહ્યું કે એમને આ વસ્તુ ખાધી કે પીધી જેના લીધે એમનું વજન ઘટ્યું તો આપણે આવું કરવાની જરૂર નથી. બીજા કોઈના અનુસાર આહારનું પાલન ન કરો. તમારું વજન ઓછું થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં, રોગો તમારા શરીરમાં વિકાસ કરી શકે છે. જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો તમે સારા ડાયેટિશિયનની સલાહ લઈ શકો છો.

Advertisement

ઓછું પાણી પીવું

image source

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે વધારે પાણી પીવાની ટેવ બનાવવી પડશે. આહાર તંદુરસ્ત લેવાની સાથે સાથે પુષ્કળ પાણી પીવું પડશે. પાણી શરીરને ડિહાઇડ્રેટ થવા દેતું નથી અને શરીરમાંથી ઝેરી પદાર્થોનું વિસર્જન પણ કરે છે. વધારે પાણી માત્ર પીવાથી ઘણી સમસ્યાઓ હલ થાય છે, અને ત્વચા પણ સ્વસ્થ રહે છે

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version