Site icon Health Gujarat

વધતી ઉંમરે ચહેરાની ચમક જાળવી રાખવા કરો આ ખાસ યોગાસન.

ચહેરા પર આવેલી અકાળ કરચલીઓનું મોટું કારણ તણાવ અને આપણી અનિચ્છનીય જીવનશૈલી છે.અતિશય ધૂમ્રપાન,આલ્કોહોલ,દવાઓ અને તળેલા ખોરાક આરોગ્યની સાથે ત્વચા માટે પણ નુકસાનકારક છે.જેના કારણે પાચનશક્તિ બગડે છે અને ઘણા આંતરસ્ત્રાવીય બદલાવ પણ જોવા મળે છે.જે પિમ્પલ્સ,શુષ્ક અને નિર્જીવ ત્વચાના રૂપમાં આવે છે.તો આ સમસ્યાને દૂર કરીને,ચહેરાની ચમક કેવી રીતે વધારવી તે ઉપાય દરેક વ્યક્તિ જાણવા માંગે છે.તો ચાલો જાણીએ કેટલાક યોગાસન વિશે જે ચેહરાની ચમક માટે ફાયદાકારક છે.

ત્વચાની સમસ્યા થવાના સામાન્ય કારણો

Advertisement
image source

કેટલીક સ્ત્રીઓની ત્વચામાં અકાળ કરચલીઓ હોય છે કારણ કે તેમની જીવનશૈલી અનિચ્છનીય આદતો છે જેમ કે સિગારેટ,દારૂ, ડ્રગ્સ અને ખાવાની ખરાબ ટેવ અને તેમાં તણાવ મુખ્ય ભૂમિકા ભજવે છે.

પિમ્પલ્સ અથવા કરચલી એ દરેક યુગની સ્ત્રીઓ માટે સામાન્ય સમસ્યા છે કેટલીકવાર તે હોર્મોન્સના અસંતુલનને કારણે પણ થાય છે.તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે સમય જતાં પોતાની રીતે સ્વસ્થ થાય છે.

Advertisement

અસંતુલિત પાચન પણ પિમ્પલ્સ થવાનું કારણ બને છે.

1. હલાસન

Advertisement
image source

હલાસન યોગ કરવાથી ચહેરા અને માથામાં રક્ત પરિભ્રમણ થાય છે.જે ચેહરાનો ગ્લો વધારે છે.આ આસનમાં તમે તમારા શરીરને જ્યાં સુધી કોઈ સમસ્યા વિના રોકી શકો ત્યાં સુધી રોકો.

2. સર્વાંગાસન

Advertisement
image source

સર્વાંગાસન આસન શરીરના ખભા અને માથા પર સંતુલિત છે,જેનાથી માથા અને ચહેરા પર રક્ત પરિભ્રમણ થાય છે.જે ગ્લો વધારવાનું કામ કરે છે સાથે તે પિમ્પલ્સની સમસ્યા પણ દૂર કરે છે.

3. ત્રિકોણાસન

Advertisement
image source

આ આસનમાં લોહીનો પ્રવાહ માથા અને ચહેરા તરફ હોય છે.જેના કારણે ત્વચાને મહત્તમ ઓક્સિજન મળે છે.જે ત્વચાને લગતી બધી સમસ્યાઓ દૂર કરવા તેમજ ચહેરા પર ગ્લો લાવવા માટે ખૂબ ફાયદાકારક છે.

4. મત્સ્યાસન

Advertisement
image source

મત્સ્યાસનમાં માથાની મદદથી ખભા અને કમરને ઉપરની તરફ રાખીને સંતુલન કરવામાં આવે છે.જેના કારણે લોહીનો પ્રવાહ માથા તરફ વળે છે.જો તમને શરીરને આરામ આપવા સાથે ગ્લોઇંગ ત્વચા જોઈએ છે,તો આ આસન જરૂરથી કરો.

5. ભુજંગાસન

Advertisement
image source

ભુજંગાસન ફક્ત કમર અને ખભાના દુખાવાને દૂર કરવા માટે જ નહીં,પરંતુ તે આસન દ્વારા તમને આરામ મળે છે અને મૂડમાં પણ સુધારો કરે છે અને સૌથી સારું તે ત્વચાને નરમ પાડે છે અને ચેહરાનો ગ્લો વધારે છે.

કેટલીક સ્ત્રીઓને પિમ્પલ્સ થવાનું મુખ્ય કારણ પેટની સમસ્યા બની શકે છે.ચાલો અહીં અમે તમને જણાવીએ પેટને સ્વસ્થ રાખવા માટેના આસન

Advertisement

પવનમુક્તાસન

image source

આ આસન તમારે પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Advertisement

વજ્રાસન

શરીરમાં અને પેટમાં રહેલા ઝેરી પદાર્થને દૂર કરે છે.તેથી પેટ અને ત્વચા સ્વસ્થ રહે છે.

Advertisement

ધનુરાસન

image source

આ આસન તમને તણાવ મુક્ત રાખે છે અને પેટમાં રહેલા બગાડને પણ દૂર કરે છે.

Advertisement

નાડી શોધન પ્રાણાયામ

આ આસન તમારી સહનશક્તિ વધારે છે અને તમારી ત્વચા સ્વસ્થ અને કડક રાખે છે.

Advertisement

કપાલ ભાતી પ્રાણાયામ

આ આસન પેટને સ્વસ્થ રાખે છે.ત્વચા પર થતી સમસ્યાઓ દૂર કરે છે અને તમને તણાવમુક્ત રાખે છે.

Advertisement

સૂર્ય નમસ્કાર

image source

આ આસનથી પેટનો બગાડ દૂર થાય છે અને ત્વચાની ચમક વધી જાય છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version