આ ટિપ્સ ફોલો કરીને ઘરે જાતે જ કરો હેર કલર, રહેશે લાંબા સમય સુધી
વાળને કલર કરવાનો ટ્રેન્ડ હાલ પુરજોશમાં ચાલી રહ્યો છે. સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે, રંગીન વાળ એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે જે મોટાભાગના લોકો પણ પસંદ કરે છે. પરંતુ વાળને રંગ આપવાથી વાળને ખૂબ નુકસાન થાય છે, કારણ કે તેમાં રહેલા રસાયણો તમારા વાળને અત્યંત શુષ્ક બનાવી શકે છે. તે જ સમયે, વાળને રંગ કરવાથી, ક્યારેક વાળ પણ ખરી પડે છે. તેથી જો તમે ક્યારેક – ક્યારેક જ વાળને કલર કરો તો તે તમારા વાળની મજબૂતી માટે સારું રહેશે.
જો તમે ઘરે વાળ રંગી રહ્યા છો, તો કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે. આ લેખમાં, અમે તમને વાળને કેવી રીતે રંગવા, તે દરેક પગલા વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે ઘરે વાળ રંગી શકો છો.
વાળને રંગ આપવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની કાળજી લો.
રંગ પસંદ કર્યા પછી, પ્રથમ તેને તમારી ત્વચા પર લગાવીને તેનું પરીક્ષણ કરો કે કેમ કે તેનાથી તમને કોઈ નુકસાન થશે નહીં, જેમ કે ત્વચાની એલર્જીની સમસ્યા પણ ઉભી નહીં થાય.
વાળને રંગ આપતા પહેલા, તેને હળવા શેમ્પૂથી સારી રીતે ધોઈ લો. જ્યારે તમારે રંગવાનું હોય, ત્યારે કન્ડિશનરનો ઉપયોગ ન કરો, કારણ કે તે વાળના કુદરતી તેલનો નાશ કરે છે.
વાળ રંગવા પહેલાં, તમારા ખભા પર ટુવાલ મૂકો જેથી રંગ તમારા કપડા પર ન આવે.
વાળને સારી રીતે કાંસકો ફેરવી વ્યવસ્થિત કરો.
રંગ કરતા પહેલાં, તમારી ત્વચા અને ગળા પર વેસેલિન અથવા ક્રીમનો ઉપયોગ કરો. તેને તમારા ચહેરા, ગળા અને ખભા પર સારી રીતે લગાવો જેથી તમારી ત્વચાને રંગથી બચાવી શકાય.
કલર કરતા પહેલા, તમારા હાથમાં ગ્લોવ્ઝ પહેરો જેથી તમારા હાથમાં રંગ ના આવે.
વાળને લગાવવા માટે રંગ મિક્સ કરો.
હવે વાળમાં રંગ આપવા માટે, તેને કાંસકો વડે અનેક ભાગોમાં વહેંચો અને દરેક ભાગમાં રંગ કરતા રહો.
ધ્યાનમાં રાખો, કોઈ ભાગ ભૂલતા નહીં. તમે વાળમાં ભાગ પાડવા માટે ચીપિયાનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે રંગ સુકાઈ ગયા પછી વાળ ધોઈ નાંખો અને ધ્યાન રાખો કે જેટલા મસિ સુધી વાળમાં રંગ રાખવાનો નિર્દેશ આયેલો છે, તેટલા જ સુધી વાળમાં રંગને રહેવા દો. લાંબા સમય સુધી વાળમાં રંગ હોવાને કારણે વાળ પણ વધુ સુકાઈ જાય છે, તેથી આનું ધ્યાન રાખવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત