આ 5 વસ્તુઓનુ કરો સેવન, અને પેટમાં થતી બળતરાને કહી દો BYE-BYE
આપણી રોજીંદા ખાવા પાવાની ખોટી ટેવોના કારણે પેટની સમસ્યાઓનો આપણે અવારનવાર સામનો કરવો પડતો હોય છે. જો કે ઓછી માત્રામાં પાણી પીવું, કલાકો સુધી એક જ સ્થાન પર બેઠા રહેવું, પૌષ્ટિક વસ્તુઓનું સેવન ન કરવું વગેરેના કારણે પેટમાં બળતરા અને ગેસની સમસ્યાઓ જોવા મળે છે.
એક સંશોધન મુજબ પેટમાં બળતરા અથવા એસીડીટી (ગેસ) થવી અને એની દવાઓ ગળવી એ લાંબા ગાળે કીડની માટે નુકશાનકારક સાબિત થાય છે. આવામાં પેટની બળતરા અને અન્ય સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમારા ડાયટ પ્લાનમાં બદલાવ લાવવાની જરૂર છે. તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ એ વસ્તુઓ વિશે જેનું આહારમાં સેવન કરવાથી પેટની બળતરા અને એસીડીક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે.
આદુ (અદરક)
આદુ એ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આદુનું સેવન આહારમાં કરવાથી પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. નિયમિત રૂપે 1 ટુકડો રોજ આહારમાં લેવાથી તમને અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી પેટમાં થનારી બળતરા, દુઃખાવો અને ગેસ (એસીડીટી) જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ સાથે જ આદુના ઉપયોગથી કેંસર જેવા રોગો સામે પણ રક્ષણ મળે છે.
દહીં
દુધની બનાવટ વાળી વસ્તુઓમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમથી ભરપૂર દહીંનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, અને પેટની બળતરા પણ દૂર થાય છે. શરીરમાં દહીંની હાજરી પેટને એસિડ બનાવતા અટકાવે છે. દહીંને પ્રોબાયોટિક ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. આ પ્રોબાયોટિક તત્વો પેટમાં સ્વસ્થ બેક્ટેરિયા બનાવે છે. દિવસ દરમિયાન દહીં ખાવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ફાઇબર યુક્ત ખોરાક
ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવાથી આપણી પાચન ક્રિયા મજબૂત બને છે. આવા ખોરાક પેટની તંદુરસ્તીને જાળવી રાખે છે તેમજ કબજિયાતથી રાહત આપે છે. ઘણી વાર કબજીયાતની સમસ્યાના કારણે પેટમાં બળતરા થાય છે, અને ગેસની સમસ્યા પણ રહે છે. એવામાં ફાઇબર યુક્ત ખોરાકનું સેવન કરવાથી લાભ થાય છે. આ માટે સફરજન, નાશપતી, ગાજર, કેળા, લીલા શાકભાજી, આખા અનાજ, કઠોળ વગેરેનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ.
સુકા મેવા (ડ્રાયફ્રુટ્સ)
નિયમિત રૂપે 1 મુઠ્ઠી ડ્રાયફ્રુટ ખાવા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સુકા મેવા શરીરને રોગોના સંક્રમણમાં આવવાથી રોકે છે. ડ્રાયફ્રુટનું નિયમિત સેવન પેટના સ્વાસ્થ્યને જાળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે. આમ કરવાથી ગેસ, કબજિયાત, બળતરા વગેરેની ફરિયાદ પણ ઓછી જોવા મળે છે. આ માટે દરરોજ ડ્રાયફ્રૂટ, અખરોટ, કાજુ, બદામ, ખજૂર વગેરે જેવા સુકા મેવાનું સેવન કરવું જોઈએ.
ઓટમીલ (દળિયું)
ઓટમીલને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સુપર ફૂડ માનવામાં આવે છે. દળીયાના સેવનથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. દળીયાના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા સાથે છાતીમાં થતી બળતરાથી પણ રાહત મળે છે. પૌષ્ટિક ગુણોથી ભરપુર દળીયાનું નિયમિત સેવન કરવાથી શરીર સ્વસ્થ અને સુદ્રઢ બને છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત