તમે પણ છો ચા પીવાના શોખીન તો ખાસ જાણો આ વાતો, નહીં તો હેલ્થને થશે નુકસાન
કાશ્મીરના કહવાથી લઈને ભારતની મસાલા ચા. ચાની ફ્લેવરની વાત જ શું કરવી. દેશમાં અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ ફ્લેવર મળે છે અને શોખીનો તેને ઝડપથી અપનાવી લેતા હોય છે. ચાના શોખીનોની દુનિયામાં કોઈ અછત નથી. દુનિયાના કોઈ પણ ખૂણે તમને ચા તો મળી જ રહે છે. તમે પણ ચા પીવાના શોખીન છો તો તમારે કેટલીક વાતોને ગાંઠ બાંધી લેવાની જરૂર છે, નહીં તો તમને તેનો ફાયદો મળવાને બદલે નુકસાન થઈ શકે છે. વધારે પડતી ચા પીવાથી ગંભીર નુકસાન થાય છે.
ચા પીવાના આ નિયમો જાણી લેશો તો તમારી હેલ્થને કોઈ ખાસ તકલીફ થશે નહીં
ખાલી પેટે ક્યારેય ચા ન પીઓ
ભૂખ્યા પેટે ચા પીવાની ભૂલ ક્યારેય ન કરો. આમ કરવાથી તમે ગંભીર રોગનો શિકાર બની શકો છો. આ સાથે જ તમને ગેસ અને એસિડિટીની તકલીફ પણ રહે છે.
ચા પહેલાં પીઓ હૂંફાળું પાણી
ખાલી પેટે ચા પીવાના કારણે તમારા આંતરડાને નુકસાન થાય છે. ચા પીતા પહેલાં થોડું હળવું ખાવાનું ખાઓ અને પછી એક ગ્લાસ હૂંફાળું પાણી પીઓ. આમ કરવાથી તમને ગેસની તકલીફ રહેશે નહીં.
ભોજન બાદ તરત ચા ન પીઓ
ખાસ કરીને લોકો ખાવાનું ખાઈ લીધા બાદ ચા પીવાની આદત રાખે છે. આમ કરવાથી શરીરમાં ખાવાનામાં રહેલા પોષક તત્વનો સારી રીતે અવશોષિત કરી શકાતા નથી અને સાથે શરીરને અનેક પ્રકારના રોગ ઘેરી લે છે. ધ્યાન રાખો કે હંમેશા ભોજન અને ચાની વચ્ચે 1 કલાકનું અંતર રાખવું જોઈએ.
સૂતી સમયે ચા ન પીઓ
રાતે સૂવાના સમયે અનેક લોકોને ચા પીવાની આદત હોય છે. તેમને ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય છે. આવું એટલા માટે થાય છે કે ચામાં રહેલું કેફીન નિંદ વિરોધક હોય છે. તમારે આ આદત તરત જ બદલી દેવાની જરૂર છે. તેનાથી તમારી ઊંઘ પ્રભાવિત થાય છે.
દિવસમાં 2 કપ ચા પીવી હેલ્થ માટે ફાયદારૂપ
આખા દિવસમાં 2 કપ ચાનું સેવન કરવાથી હેલ્થને નુકસાન થતું નથી. તેનાથી વધારે ચા પીવામાં આવે તો વ્યક્તિની ભૂખ મરી જાય છે અને તેને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે.
તો હવેથી તમે પણ ચા પીવાની આદત રાખો છો કે પછી ચાના શોખીન છો તો આ તમામ વાતોને જાણીને પછી ક્યારે ચા પીવી તે નક્કી કરો. તેનાથી હેલ્થને ફાયદો થશે. જો ધ્યાન નહીં રાખો તો કોઈ મોટી મુસીબતમાં મૂકાઈ શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત