જાણો કેપ્સિકમ ખાવાથી સ્વાસ્થ્યને થતા આ અઢળક ફાયદાઓ વિશે તમે પણ
લાલ, લીલા અથવા પીળા કેપ્સિકમ આરોગ્યની દ્રષ્ટિએ સૌથી ઉપયોગી શાકભાજીઓમાંથી છે. કેપ્સિકમને મુખ્યત્વે શાકભાજી, સલાડ, ગાર્નિશિંગ અથવા ચાઇનીઝ ખોરાકમાં વપરાય છે. કેપ્સિકમમાં લગભગ ખાસ કોઈ કેલરી હોતી નથી, જેનાથી કોલેસ્ટરોલની કોઈ સમસ્યા થતી નથી. જાણીતા ડૉક્ટર્સનું પણ કહેવું છે કે, વિટામિન સી, વિટામિન એ, ફોલેટ અને ડાયેટરી ફાઇબર સહિત વિવિધ પોષક તત્વોથી ભરપૂર કેપ્સિકમનું દૈનિક સેવન કરવાથી અનેક રોગોમાં ફાયદો થાય છે.
જે લોકો લીલા મરચાને ટાળે છે તેઓ પણ કેપ્સિકમની સબ્જી ખૂબ રસથી ખાય છે. નૂડલ્સ, મંચુરિયન, પાસ્તા વગેરે ઘણી વિશેષ વાનગીઓમાં સ્વાદ વધારવા માટે કેપ્સિકમનો ઉપયોગ થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેપ્સિકમનું સેવન કરીને તમે મેદસ્વીપણાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટિન જેવા પોષક તત્વોથી ભરપુર કેપ્સિકમ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદગાર છે. આજે અમે તમને આ લેખ દ્વારા કેપ્સિકમના ફાયદા વિશે જણાવીશું.
હ્ર્દય માટે
કેપ્સિકમ તમને હૃદયની અનેક પ્રકારની સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે. તે કેપ્સિકમમાં હાજર ફલેવોનોઇડ્સને કારણે છે જે શરીરને હૃદયની બીમારીઓથી સુરક્ષિત રાખે છે. ફ્લેવોનાઇડ્સ આખા શરીરમાં ઓક્સિજનના સરળ સપ્લાયમાં પણ મદદગાર છે, જેનાથી હાર્ટ પમ્પિંગમાં કોઈ તકલીફ થતી નથી.
જાડાપણું ઘટાડવું
કેપ્સિકમ વજન ઘટાડવામાં મદદ કરે છે. કેપ્સિકમમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી જ તેના સેવનથી વજન વધારવાની શક્યતા ખૂબ જ ઓછી છે. કેપ્સિકમ મેટાબોલિઝમ સુધારે છે જે મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે.
પ્રતિરક્ષા ક્ષમતા વધારવા માટે
કેપ્સિકમ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવાની સાથે કેપ્સિકમ મગજને તીક્ષ્ણ બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનું મુખ્ય કારણ એ છે કે કેપ્સિકમ વિટામિન સીથી ભરપુર હોય છે. આ સિવાય કેપ્સિકમ તણાવ પણ ઘટાડે છે તેમજ અસ્થમા અને કેન્સર જેવા રોગો સામે લડવામાં પણ ખૂબ અસરકારક છે.
પાચનતંત્ર માટે ફાયદાકારક
કેપ્સિકમમાં એવા ગુણધર્મો છે જે પાચનની સમસ્યાઓથી રાહત આપે છે. તેના દૈનિક સેવનથી પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત વગેરેથી રાહત મળે છે.
મજબૂત અને રેશમી વાળ માટે
કેપ્સિકમનું દૈનિક સેવન લાંબા, મજબૂત અને રેશમી વાળ માટે ફાયદાકારક હોય છે. તેમાં સિલિકોન સામેલ છે અને ખોપરી ઉપરની ચામડીમાં લોહીનો પ્રવાહ જાળવવામાં મદદ કરે છે. લાલ કેપ્સિકમથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે
પોષણથી ભરપુર
કેપ્સિકમ પોષક તત્ત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, ફ્લેવાનાઇડ્સ, આલ્કલોઇડ્સ અને ટૈનિન્સ હોય છે. કેપ્સિકમમાં હાજર આલ્કલોઇડ્સ બળતરા વિરોધી (એન્ટી ઈંફ્લેમેન્ટરી) એનલજેસ્ટિક અને એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે.
ડાયાબિટીસ
જે લોકો ડાયાબિટીઝથી ઝઝૂમી રહ્યા છે તેમણે દરરોજ કેપ્સિકમનું સેવન કરવું જોઈએ. આ શાકભાજી શરીરમાં સુગર લેવલને બરાબર રાખવામાં મદદ કરે છે.
કેન્સર નિવારણ
કેપ્સિકમ કેન્સરને રોકવામાં પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેના વપરાશને લીધે, શરીરમાં કેન્સરના કોષો વિકસિત થતા નથી. નિષ્ણાંતોના મતે દરરોજ કેપ્સિકમનું સેવન કરવાથી કેન્સર જેવા જોખમી રોગનું જોખમ ઓછું થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત