દાડમ ખાવાથી દૂર ભાગે છે આ અનેક રોગો, જાણો તમે પણ કેવી રીતે લેશો ઉપયોગમાં
માથા પર જાણે નાનકડો મુગટ પહેર્યો હોય તેવું લાલ ચટક દાડમનું ફળ આકર્ષક દેખાય છે. દાડમને કાપવાથી તેમાં પીળાશ પડતા સફેદ રંગની છાલની આજુબાજુમાં દાડમનાં દાણા વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોઈ, જોવામાં ખૂબ જ આકર્ષક દેખાય છે અને તેથી જ વ્યક્તિના આકર્ષક દાંતને દાડમનાં દાણા જેવા દાંતની ઉપમા આપવામાં આવે છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામીન સી, વિટામીન બી-૬ અને થોડી માત્રામાં લોહતત્વને કારણે વિશિષ્ટ છે.
દાડમમાં એક વિશિષ્ટ કમ્પાઉન્ડ પ્યુનીકેલેજીન રહેલું છે જે વિશે થયેલ તાજા સંશોધનથી એવું સાબિત થયું છે કે, પ્યુનીકેલેજીન એન્ટીઓક્સિડન્ટ અસર કરે છે, તે ઉપરાંત કોલેસ્ટેરોલ ઘટાડવા માટે પણ અસરકારક છે. કેરોડીટ આર્ટરીમાં બ્લોકેજ ધરાવતા હ્રદયરોગના દર્દીઓને એક ઔંસ (લગભગ ૩૦ ગ્રામ) જેટલો દાડમનો રસ નિયમિત રીતે એક વર્ષ સુધી આપવામાં આવ્યો. આ પ્રયોગનું તારણ જણાવે છે કે દર્દીઓનું હાઈબ્લડપ્રેશર ૧૨% જેટલું ઘટ્યું, પરંતુ સૌથી વધુ સારી અસર દર્દીઓના હ્રદયની નળીઓમાં થતી જોવા મળેલી. એથેરોસ્કલેરોટીક પ્લેકને કારણે થતો અવરોધમાં ૩૦% જેટલો ઘટાડો થતો જોવા મળ્યો. આવા અન્ય એક સંશોધનમાં દાડમનાં રસની સારી અસર પ્લેટલેટ્સની બીમારી પર પણ થતી નોંધવામાં આવી છે.
ફળોનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય ફળોનો રસ સ્વાસ્થ્ય પણ જાળવે છે. આજે અમે તમને દાડમના રસના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને માત્ર સ્વસ્થ જ નહીં પરંતુ એનિમિયાની ફરિયાદ પણ દૂર કરશે. સમજાવો કે દાડમના રસમાં ઔષધીય ગુણધર્મો છે. તે એન્ટીઓકિસડન્ટો, ફાઇબર, વિટામિન, ખનિજો અને ફ્લેવોનોઇડ્સથી ભરેલું છે. દાડમનો રસ વિવિધ રોગોની સારવારમાં ખૂબ અસરકારક છે.
દરરોજ દાડમ ખાવાથી લોહી વધે છે
દાડમમાં ફાઇબર, વિટામીન K, C અને B, આયર્ન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે.
4 ચમચી દાડમના રસમાં શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી અપચામાં રાહત મળશે
દાડમના દાણા ચાવીને ખાવાથી કબજિયાતથી મુક્તિ મળશે
ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા ચુસીને ખાઓ
ખાંસીમાં દાડમની તાજી છાલ ચુસીને ખાવાથી રાહત મળશે
પેટની બળતરા દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે
દાડમની છાલને પાણીમાં ઉકાળી પીવાથી પેટનના કીડા નાશ પામે છે
તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે
દાડમની છાલના પાવડરથી દાંત સાફ કરવાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે
ટાઇફોઇડ પિડીતે વ્યક્તિએ દાડમના પાનના ઉકાળામાં સંચળ મિક્સ કરી પીવાથી લાભ થશે
હથેળી-પગના તળિયાના બળતરાંમાં દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે.
દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.
દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવી સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે.
આર્યનની કમી
પ્રેગ્ન્ન્સીમાં માતાની ડાયટથી જ બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય છે. જો ગર્ભવતી મહિલામાં આર્યનની કમી હોય તો એનિમિયાના કારણે ડિલીવરી સમયે પરેશઆની થાય છે. હિમોગ્લોબીનની માત્રા વધારવા માટે દાડમનું સેવન બેસ્ટ છે.
પેટ માટે લાભકારી
પેટ માટે દાડમ હિતકારી છે, એટલે ડાયરિયાના પેશન્ટને ડોક્ટર દાડમના સેવનની સલાહ આપે છે. પાચનની ગરબડને દાડમ દૂર કરે છે. ગર્ભવતી મહિલાને ખાસ પાચનને લગતી સમસ્યા સતાવે છે. તેમાં મોજૂદ ફાઇબર પેટ માટે લાભકારી છે. તો ગર્ભવતી મહિલા માટે દાડમ દરેક રીતે શ્રેષ્ઠ છે.
હાડકા અને માંશપેશી મજબૂત
દાડમ હાડકાને માંશપેશીને પણ મજબૂત બનાવે છે. જે મહિલા ગર્ભાવસ્થામાં દાડમનું સેવન કરે છે, તે મહિલાના ગર્ભમાં રહેલા બાળકની પણ માંશપેશી અને હાડકા મજબૂત બને છે.
નોર્મલ ડિલિવરી
પ્રેગન્ન્સીમાં લોહીની કમીના કારણે નોર્મલ ડિલીવરીની શકયતા ઓછી રહે છે. દાડમના લોહીની કમીની પૂર્તિ કરે છે.લોહીની ઉણપ ન હોય તેવી સ્થિતિમાં નોર્મલ ડિલિવરીના ચાન્સ વધી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત