આ ફળના પાંદડાનું સેવન કરવાથી ડાયાબિટીઝ, હ્રદયરોગ જેવી અનેક મોટી બીમારીઓ સામે લડી શકો છો, દવા લેવાની પણ નહિં પડે જરૂર

આપણને ફળોના સેવનથી ઘણા પોષક તત્વો અને ફાયદા મળે છે. પરંતુ કેટલાક ફળ એવા પણ છે, જેના પાંદડા પણ એટલા જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાંથી એક સીતાફળ છે. સીતાફળ એક ઔષધીય ફળ છે. જેના ગુણોથી બધા પરિચિત છે. પરંતુ આયુર્વેદ અનુસાર તેના પાંદડા અનેક સમસ્યાઓમાં રાહત આપે છે. આ ફળનાં પાંદડાનું સેવન તમારા હૃદયમાં જ નહીં પરંતુ ડાયાબિટીઝ, ત્વચાના રોગો તેમજ વાળના સ્વાસ્થ્યમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. સીતાફળના પાંદડા ફાઈબરથી ભરપુર હોય છે. ડાયાબિટીઝના દર્દીઓ ખાસ કરીને તેની સમસ્યાઓ નિયંત્રિત કરવા માટે સીતાફળના પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ. માનવામાં આવે છે કે તેના સેવનથી તમારા પેટના વિકાર દૂર થાય છે. સીતાફળના પાનનું સેવન તમારા શરીરમાં સ્ટેમિના વધારવામાં ફાયદાકારક માનવામાં આવે છે, સાથે જ હૃદય અને હાઈ બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ ઘટાડે છે. તો ચાલો અમે તમને જણાવીએ સીતાફળના પાંદડાંના સેવનથી થતા અન્ય ફાયદાઓ વિશે.

1. હૃદય રોગો માટે ફાયદાકારક

image source

તમે સીતાફળના પાંદડાઓનો ઉપયોગ કરીને હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકો છો. તેના પાંદડામાં સારી માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જોવા મળે છે. તેના નિયમિત સેવનથી તમારા હ્રદયની માંસપેશીઓ સ્વસ્થ તેમજ મજબૂત રહે છે. તે વિટામિન અને ખનિજોથી પણ ભરપૂર છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સીતાફળના પાંદડાંના સેવનથી હૃદય સંબંધી રોગ અને વૈલ્વ્યુલર રોગ જેવી હૃદયની સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે.

2. ત્વચા માટે ફાયદાકારક

image source

સીતાફળના પાંદડામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે તમારી ત્વચાને સુરક્ષિત કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેમાં જોવા મળતું પોટેશિયમ અને મેગ્નેશિયમ ત્વચાની સુંદરતા પણ બચાવે છે. જો દરરોજ સીતાફળના એક પાંદડાનું સેવન કરવામાં આવે તો પછી તમને ઉનાળામાં ત્વચાને નુકસાન, સાન ટેન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી રાહત આપવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મોને ફ્રી રેડિકલ સામે લડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. તમે તમારી ચામાં સીતાફળના પાન ઉમેરીને આ ચાનું સેવન કરીને તમારી ત્વચાની સમસ્યાઓ પણ દૂર કરી શકો છો.

3. શરીરમાં ઉર્જા વધારે છે

image source

જો તમે સ્ટેમિના અથવા શરીરમાં ઉર્જાના અભાવથી ચિંતિત છો, તો સીતાફળના પાન લો. એવું માનવામાં આવે છે કે સીતાફળના પાનનું સેવન તમારા શરીરમાં ઉર્જાને પ્રસારિત કરે છે. તેને ચા અથવા હર્બલ ટીના રૂપમાં પીવાથી તમે તમારી શારીરિક ક્ષમતા સરળતાથી વધારી શકો છો. શારીરિક શક્તિ વધારવા માટે લગભગ તમામ પોષક તત્વો સીતાફળના પાંદડામાં જોવા મળે છે. તેની હર્બલ ચા પીવાથી શરીરમાં રહેલા ઝેર પણ બહાર આવે છે, સાથે તમને સ્ટેમિના અને ઉર્જા પણ ભરપૂર માત્રામાં મળે છે.

4. જખમોને મટાડવામાં મદદરૂપ છે

image source

સીતાફળના પાંદડામાં એન્ટિઓક્સિડેન્ટ તેમ જ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચા પરના ઘાને ઝડપથી ઉપચાર કરવામાં મદદગાર હોવાનું માનવામાં આવે છે. જયારે તમારી ત્વચા પર કોઈ ઘા લાગે છે, તો સીતાફળના પાંદડા લો અને તેને ધોઈ લો. ત્યારબાદ તેમાંથી રસ કાઢો અને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો, આ કરવાથી તમને પીડામાં રાહત મળે છે તેમજ ઈજા કે ઘાને ઝડપથી મટાડવામાં મદદ મળે છે. ઇજાઓ ઘણીવાર ઘા લાગેલી જગ્યા પર થોડી ગંદકી છોડી દે છે. જેના કારણે પરુ રચવાની સંભાવના વધે છે. જો તમે ડોક્ટરની મદદ વગર આ સમસ્યાની સારવાર કરવા માંગો છો, તો આ પાંદડા તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

5. ડાયાબિટીઝમાં ફાયદાકારક

image source

સીતાફળના પાંદડામાંથી મળતું ફાયબર તમારા શરીરમાં ખાંડનું સ્તર નિયંત્રિત કરે છે. જેના કારણે ડાયાબિટીઝના દર્દીઓનું સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. સીતાફળના પાંદડાંના સેવનને કારણે, શરીરમાં ખાંડની માત્રાનું શોષણ ધીમું થાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ડાયાબિટીઝથી પીડિત વ્યક્તિ સવારે ખાલી પેટ પર સીતાફળના પાનનો ઉકાળો પીવે છે, તો શરીરમાં બ્લડ સુગરનું સ્તર સંપૂર્ણપણે સંતુલિત રહે છે.

6. તાવની સારવારમાં ફાયદાકારક

image source

જો તમને શરદીને લીધે તાવ આવે છે, તો સીતાફળના ત્રણ પાંદડામાં મીઠું ઉમેરીને પીસી લો. હવે આ પેસ્ટનું સેવન કરો. તમારી તાવની સમસ્યા દૂર થશે.

સીતાફળના પાંદડા એક નહીં પરંતુ અનેક રોગોમાં ફાયદાકારક છે. આ પાંદડા ખાવાથી તમે એક નહીં પણ આ લેખમાં આપેલી બધી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત