રણબીર આલિયાના લગ્નની તસવીરો આવી સામે, અહીંયા જુઓ બન્નેનો રોમેન્ટિક અંદાજ

બોલીવુડના પ્રખ્યાત સ્ટાર કપલ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે એટલે કે 14 એપ્રિલ, બુધવારે લગ્નના બંધનમાં બંધાયા છે. રિપોર્ટ્સ અનુસાર બંનેએ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

ચાહકો ઘણા સમયથી રણબીર અને આલિયાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2017માં ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી શરૂ થયેલી રણબીર-આલિયાની લવ સ્ટોરી આજે એક નવી સફર શરૂ કરવાની છે. બંનેના ચહેરા પર પ્રેમની ચમક સ્પષ્ટ દેખાય છે.

જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. છેવટે, આલિયા ભટ્ટ હવે આલિયા કપૂર બની ગઈ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કાયમ માટે એકબીજાના બની ગયા છે. આલિયાની માંગમાં રણબીરનું નામ સિંદૂરથી સજાવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થઈ રહ્યા છે. અને આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે. બપોરથી જ મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે.

નીતુ સિંહ અને સોની રાજદાને લગ્નમાં આવનાર મહેમાનોનો આદર સત્કાર કર્યો હતો. અયાન મુખર્જી અને કરણ જોહર આલિયા ભટ્ટને દુલહનને કપડામાં જોઈને રડી પડ્યા હતા. આ ઉપરાંત માતા નીતુ સિંહે પોતાના લાડકા દીકરાની નજર પણ ઉતારી હતી

મળેલી માહિતી અનુસાર લગ્નના ભોજન માટે દિલ્હીથી શૅફ બોલાવવામાં આવ્યા છે. ભોજનમાં ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટલી તથા તંદૂરી ડિશ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આલિયા માટે વીગન બર્ગરનો અલગ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આલિયા તથા ફ્રેન્ડ અનુષ્કા રંજન વીગન બર્ગરના બહુ મોટા ફૅન છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ભટ્ટ તથા કપૂર પરિવારના ફક્ત 50 સભ્યો જ હાજર રહ્યા છે. આ લગ્ન અંગેના લગભગ બધા જ નિર્ણયો રણબીરે જ લીધા છે. રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે.

ભટ્ટ પરિવાર આલિયા અને રણબીરના ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છા હતા, પરંતુ રણબીરના શરમાળ સ્વભાવને કારણે તેમણે નિર્ણય બદલ્યો હતો. આલિયાએ જ પરિવારને સાદગીથી લગ્ન કરવા માટે મનાવ્યા હતા.