ભારતની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન શરૂ થઈ, સીટથી લઈને સુવિધા સુધી આ ફેરફારો જોવા મળશે, ફટાફટ જાણો શું છે ખાસ
ભારત ગૌરવ યોજના હેઠળ, દેશની પ્રથમ ખાનગી ટ્રેન સેવાને કોઈમ્બતુરથી લીલી ઝંડી બતાવી હતી. ભારતીય રેલ્વેએ આ ટ્રેન એક ખાનગી સેવા પ્રદાતાને 2 વર્ષ માટે લીઝ પર આપી છે. આ ટ્રેન મહિનામાં ત્રણ વખત દોડશે. દક્ષિણ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) બી ગુગનેસને જણાવ્યું હતું કે, “આ ટ્રેન મંગળવારે સાંજે 6 વાગ્યે કોઈમ્બતુર ઉત્તરથી ઉપડશે અને ગુરુવારે સવારે 7.25 વાગ્યે શિરડીના સાંઈ નગર પહોંચશે.” આ ટ્રેન એક સમયે 1,500 મુસાફરોને લઈ જઈ શકે છે.
બી ગુગ્નેસને કહ્યું કે રેલ્વેએ આ ટ્રેન બે વર્ષ માટે સર્વિસ પ્રોવાઈડરને લીઝ પર આપી છે. સેવા પ્રદાતાએ કોચની બેઠકોને ફરીથી ડિઝાઇન કરી છે. આ ટ્રેનમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ક્લાસ એસી કોચ અને સ્લીપર કોચ સહિત કુલ 20 કોચ છે.
Tamil Nadu| India's first-ever private train service under Bharat Gaurav scheme flagged off yesterday from Coimbatore
It will depart from Coimbatore North on Tuesdays & arrive at Shirdi's Sai Nagar on Thursdays. 1500 people can travel on this: B Guganesan, CPRO Southern Railway pic.twitter.com/kbxXq9IWxk
— ANI (@ANI) June 15, 2022
કયા સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે? :
શિરડી પહોંચ્યા બાદ ટ્રેન એક દિવસનો બ્રેક લેશે. આ પછી ટ્રેન શુક્રવારે સાઈ નગરથી ફરી તેની મુસાફરી શરૂ કરશે અને શનિવારે બપોરે 12 વાગ્યે કોઈમ્બતુર ઉત્તર પહોંચશે. ટ્રેન શિરડી પહોંચતા પહેલા તિરુપુર, ઈરોડ, સાલેમ જોલારપેટ, બેંગલુરુ યેલાહંકા, ધર્મવારા, મંત્રાલયમ રોડ અને વાડી ખાતે ઉભી રહેશે.
વીવીઆઈપી સુવિધાઓ મળશે :
આ ટ્રેનની ટિકિટની કિંમત ભારતીય રેલવેની અન્ય ટ્રેનો જેટલી છે. આ સાથે તેમાં મુસાફરી કરનારા મુસાફરોને શિરડી સાંઈ બાબા મંદિરમાં દર્શન માટે વિશેષ વીઆઈપી સુવિધા મળશે.
શાકાહારી ભોજન :
ટ્રેનનું મેન્ટેનન્સ હાઉસકીપિંગ સર્વિસ પ્રોવાઈડર દ્વારા કરવામાં આવશે, જે મુસાફરી દરમિયાન સતત સ્વચ્છતાનું ધ્યાન રાખશે. ટ્રેનમાં પરંપરાગત શાકાહારી ભોજન પીરસવામાં આવશે. તે જ સમયે, રેલ્વે પોલીસ દળની સાથે એક ટ્રેન કેપ્ટન, એક ડૉક્ટર અને ખાનગી સુરક્ષા કર્મચારીઓ ટ્રેનમાં ચઢશે.