શું તમને પણ ભોજન પ્રત્યે થઇ રહી છે અરુચિ…? તો તુરંત અજમાવો આ ઘરેલુ ઉપચાર મળશે એવા ફાયદા કે જાણીને થઇ જશો ચકિત…
શું તમને ખોરાક ખાવામાં કોઈ મુશ્કેલી પડી રહી છે ? તમને ભૂખ નથી લાગતી ? આ કેટલીક સમસ્યાઓ છે, જે આજકાલ લોકોમાં વધુ દેખાય છે. આજકાલ ઘણા લોકો ને સમયસર ભૂખ લાગતી નથી. જ્યારે પણ એવું લાગે છે કે, તેઓ વધુ ખાઈ શકતા નથી. જો તમને સમયસર ભૂખ ન લાગે તો તમે કેટલાક ઘરેલું ઉપાયો લઈ શકો છો.
ઘણા લોકો ને ખોરાક ની ગંધ આવે અને ખાય ત્યારે પણ ભૂખ લાગતી નથી. ઘણી વાર પેટ ની સમસ્યા ને કારણે ભૂખ આપો આપ દૂર થઈ જાય છે. કેટલીક વાર લોકો નબળું પણ અનુભવે છે. ચાલો અમે તમને ઘરેલું ઉપચાર વિશે જણાવીએ જે તમને ભૂખ વધારવામાં મદદ કરી શકે છે.
ત્રિફળા પાવડર :
ત્રિફળા પાવડર એ ઘણા ઘરેલું ઉપચારો માટે રામબાણ રામબાણ ઈલાજ છે. તેનો ઉપયોગ મોટાભાગે લોકો કબજિયાતમાં કરે છે. જો તમને પણ સમયસર ભૂખ ન હોય તો ત્રિફળા પાવડર નું સેવન કરી શકો છો. આ માટે તમારે નવશેકા દૂધમાં એક ચમચી ત્રિફળા પાવડર નું સેવન કરવું જોઈએ. તેના નિયમિત સેવનથી ભૂખ વધે છે.
ગ્રીન ટી :
ભૂખ વધારવા માટે ગ્રીન ટીને એક સારો ઘરેલું ઉપાય માનવામાં આવે છે. તેના નિયમિત સેવન થી ભૂખ વધે છે, એટલું જ નહીં, અનેક રોગોથી પણ રાહત થાય છે. જો તમને સવાર-સાંજ ચા પસંદ હોય તો તમે અન્ય ચાને બદલે ગ્રીન ટી નું સેવન કરી શકો છો. શિયાળાની ઋતુમાં લોકો વધુ ગ્રીન ટી પીવે છે.
લેમોનેડ :
ઉનાળા ની ઋતુમાં શરીરને પૂરતા પાણીની જરૂર હોય છે. તેથી આ સમયે નિયમિત પણે પાણી લેતા રહો. તેનાથી ભૂખ પણ વધે છે અને શરીરમાં પાણીની તંગી પણ થતી નથી. તમે પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી ને તેનું સેવન કરી શકો છો.
અજમા :
અજમાનું સેવન પેટ ની ઘણી સમસ્યાઓમાં ઘરેલું ઉપાય છે. તમે તેનો ઉપયોગ અપચો અથવા ભૂખ ન લાગવી ની સમસ્યામાં કરી શકો છો. તેને ખાવાથી પેટ પણ સાફ રહે છે. ઘણા ભારતીયો તેમાં મીઠું ઉમેરીને તેને હલકા શેકી ને ખાય છે. જો તમને ભૂખ ન હોય તો દિવસમાં એક થી બે વાર તેનું સેવન કરો.
જ્યુસ :
જો તમને સમયસર ભૂખ ન લાગે અથવા કંઈક ખાવાનું મન ન થાય તો તમે રસ નું સેવન કરી શકો છો. ધ્યાન રાખો, તેને સેવન કરતી વખતે રસમાં હળવું સામાન્ય મીઠું અથવા સેંધા મીઠું ઉમેરો. તે પેટને પણ સાફ રાખે છે, અને તમને ભૂખ લાગે છે.
આદુ :
જો તમને ભૂખ ના લાગતી હોય તો તમે તેના માટે આદુ નું સેવન કરો. તેના માટે તમારે જમ્યા પહેલા મીંઠા ની સાથે આદુનું સેવન કરવું જોઇએ. તેનાથી તમારી ભૂખ ઉઘડી જશે.