CM યોગીના જન્મદિવસ પર 5100 કિલોની કેક કાપવામાં આવશે, 5 લાખ લોકો એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો 49મો જન્મદિવસ રવિવારે ઉજવવામાં આવશે. આ પ્રસંગે તેમના સમર્થકો દ્વારા 5100 કિલોની કેક કાપવામાં આવશે. આ વિશાળ કેક 14 ફૂટ ઉંચી હશે અને તેનો વ્યાસ 12 ફૂટ હશે. અહેવાલો અનુસાર, આ અવસર પર અયોધ્યા સહિત વિવિધ શહેરોમાં લગભગ પાંચ લાખ લોકો હનુમાન ચાલીસાના પાઠ કરશે.
CM યોગી આદિત્યનાથના જન્મદિવસની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે, કારણ કે મુખ્યમંત્રીએ સતત બીજી વખત ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તામાં વાપસી માટે કામ કર્યું છે. યોગી આદિત્યનાથના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને ક્યારેય તેમનો જન્મદિવસ ઉજવ્યો નથી અને આ પ્રસંગની તૈયારીઓ વિશે પણ તેઓ જાણતા ન હતા.
મુખ્ય પ્રધાન તરીકે છેલ્લા પાંચ વર્ષમાં, તેમણે ઉજવણીઓ છોડી દીધી છે અને માત્ર તેમના રાજકીય સાથીદારો અને અમલદારોની શુભેચ્છાઓ સ્વીકારી છે. જો કે આ વર્ષે સીએમ યોગીના સમર્થકો તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જન્મદિવસ 5 જૂને આવે છે. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ પૌરી ગઢવાલમાં થયો હતો, જે હવે ઉત્તરાખંડમાં છે.