ઘણા લોકોને વારંવાર દુખે છે ગળામાં, જાણો આ પાછળના કારણો અને ઘરેલું ઉપાયો, જેનાથી થઇ જશે તરત જ રાહત

ગળામાં દુખાવો એ સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા ઘણીવાર બદલાતી ઋતુમાં લોકોને પરેશાન કરે છે. આ દરમિયાન, વ્યક્તિને ખોરાક ગળવામાં અથવા પાણી પીવામાં મુશ્કેલી થાય છે અને અવાજમાં ફેરફાર થાય છે. ઉધરસ, નાકમાં સમસ્યા અને બોલવામાં તકલીફ પણ થાય છે. સાઇનસ અને શરદીને લીધે લોકો ઘણીવાર આ સમસ્યા અનુભવે છે. કેટલીકવાર ચેપ પણ આ સમસ્યાનું એક કારણ હોઈ શકે છે. આ સાથે, ધૂમ્રપાન અને ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી પણ ગળાની સમસ્યા થઈ શકે છે. ગેસ, એસિડિટી અને ગળામાં સોજો પણ ગળાની સમસ્યા પેદા કરે છે. જો તમને ગળામાં દુખાવાની સમસ્યા થઈ રહી છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ ઉપાયો માટે તમારે કોઈપણ ચીજો અથવા મોંઘી દવાઓ લાવવાની જરૂર નથી, માત્ર તમારા ઘરમાં હાજર અમુક ચીજોની મદદથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાય વિશે જેને દ્વારા તમે આ સમસ્યા દૂર કરી શકો છો.

1. આદુ

image source

ગળાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. આદુ પીસીને તેમાં મીઠું અથવા લીંબુ નાખીને મોંમાં રાખો. તેને ધીરે ધીરે ચાવતા રહો, આનાથી આદુનો રસ ગળામાં જશે. જેના દ્વારા તમે આ સમસ્યાથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે આદુને ઉકાળીને મધ સાથે પી શકો છો. આ તમારા ગળાની તકલીફને પણ દૂર કરી શકે છે. આદુની ચા પણ આ સમસ્યામાં ફાયદાકારક હોઈ શકે છે. જો ગળામાં કોઈપણ સમસ્યા હોય તો બધી સમસ્યામાં આદુનું સેવન ફાયદાકારક છે.

2. મીઠાના પાણીથી કોગળા કરો

image source

ગળામાં થતા દુખાવાની સમસ્યા દૂર કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરવા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગળાના દુખાવાના કિસ્સામાં પણ તમે દિવસમાં 3-4 વખત મીઠાના પાણીથી કોગળા કરી શકો છો. મીઠામાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ચેપ ઘટાડવામાં મદદગાર છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી શ્વસનતંત્રમાંથી કફ દૂર થાય છે. જો તમને પણ વારંવાર ગળામાં દુખાવો થાય છે, તો પછી તમે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે, જે તમારી સમસ્યાને થોડા દિવસોમાં જ દૂર કરી શકે છે.

3. કાળા મરી

image source

ગાળામાં દુખાવાની સમસ્યામાં કાળા મરીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. તે તમને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે. તેથી, જો તમને ગળામાં દુખાવો થાય છે, જો તમે કાળા મરીનું સેવન બે-ત્રણ દિવસ કરશો, તો તમારી સમસ્યા જલ્દીથી દૂર થઈ જશે. આ માટે તમે મધ સાથે કાળા મરી લઈ શકો છો. જો તમે ઇચ્છો, તો તમે કાળા મરીનો ઉકાળો અથવા ચા પણ બનાવી શકો છો. કાળા મરી ગળામાં થતો દુખાવો, બળતરા અને પીડાને શાંત કરવામાં પણ મદદગાર છે.

4. સ્ટીમ થેરપી

image source

ગળાના ચેપને ઓછું કરવામાં વરાળ ફાયદાકારક છે. આ માટે તમે એક વાસણમાં પાણી ગરમ કરો, તમારા માથાને ટુવાલથી ઢાંકી દો અને પછી વરાળ લો. આ તમારી સમસ્યાને ઘણી રાહત આપશે. આ માટે તમે દિવસમાં બે વાર વરાળ લઈ શકો છો. વરાળ લેવાથી ગળાના અનેક પ્રકારના રોગો મટે છે. તે ગળામાં અટકેલા કફને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગળાના ચેપને ઓછું કરવામાં પણ વરાળ ખુબ જ ફાયદાકારક છે.

5. તમાલપત્ર

image source

તમાલપત્રની ચા પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. તે ગળાના રોગોને દૂર કરવામાં પણ મદદગાર છે. ગળાના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે તમે તમાલપત્રની ચા પી શકો છો. આ સમસ્યાને ઠીક કરવામાં ફાયદાકારક હોઈ શકે છે. તમાલપત્રના પાંદડાઓની અસર ગરમ છે, આવી સ્થિતિમાં, તમાલપત્રના સેવનથી તમામ લાળ ગળામાંથી બહાર આવે છે. આની સાથે તે ચેપ પણ ઘટાડે છે. જો તમે ઈચ્છો તો, તમે શાકભાજી અથવા કઠોળમાં પણ તમાલપત્ર ઉમેરીને ખાઈ શકો છો. તમને તમાલપત્રથી ઘણો ફાયદો થશે.

6. લસણ

ગળાના દુખાવા માટે લસણ ખૂબ ફાયદાકારક છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે બેક્ટેરિયા અથવા ચેપને દૂર કરવા માટે અસરકારક છે. આવી સ્થિતિમાં, જો તમને તમારા ગળામાં દુખાવો થાય છે અથવા તમારો અવાજ બદલાઈ ગયો છે, તો પછી તમે લસણની કળીનું સેવન કરી શકો છો. એક દિવસમાં 2-3 કળીઓ ખાવાથી તમને આ સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે. જો તમે ઇચ્છો, તો તમે શાકભાજી અથવા દાળમાં પણ લસણ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

7. મધ

image source

મધ ઘણા રોગો મટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ગળાના દુખાવાની સમસ્યામાં મધનું સેવન કરવું એ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. મધ એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે, તે ગળાના ચેપ અને બેક્ટેરિયાને દૂર કરવામાં અસરકારક છે. મધમાં એવા ઘણા પોષક તત્વો તેમાં જોવા મળે છે, જે એકંદર આરોગ્ય માટે વધુ સારા માનવામાં આવે છે. ગળાના દુખાવાની સમસ્યાને મટાડવા માટે તમે ગરમ પાણીમાં મધ મેળવીને પી શકો છો. જો તમે ઇચ્છો તો તમે મધની ચા પણ પી શકો છો. મધ ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, તમે નિયમિતપણે મધનું સેવન પણ કરી શકો છો.

8. એપલ સાઇડર વિનેગર

image source

ગળામાં થતી પીડાને શાંત કરવા તમે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. જો તમને ગળામાં દુખાવો, સોજો અથવા બળતરાની સમસ્યા છે, તો તમે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે, જે ગળાના ચેપને ઘટાડવામાં મદદગાર છે. તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરીને પી શકો છો. તમે આ મિક્ષણ દિવસમાં 4-5 વખત પી શકો છો. આ કરવાથી, તમારા ગાળામાં થતી દુખાવાની સમસ્યા જલ્દીથી ઠીક થઈ જશે.

9. તજ

image source

ગળાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે તજનો ઉપયોગ કરી શકો છો. તજમાં એવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે શ્વસનતંત્રને લગતા રોગોને દૂર કરવામાં મદદગાર છે. તજ એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે ગળાના ચેપ અથવા દુખાવાને ઘટાડે છે. તમે મધ સાથે એક નાની ચમચી તજ પાઉડર મિક્સ કરીને તેનું સેવન શકો છો. આની સાથે, તમને મધ અને તજ બંનેના ગુણધર્મો એકસાથે મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત