ગુજરાતમાં ગમે ત્યાં વીજળી પડશે તો ઈસરો તરત જ લોકેશન પકડી લેશે, એવું સેન્સર ફિટ કર્યું તો વીજળીમાંથી ઉર્જા પણ ઉત્પન થશે
ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વીજળી પડવાના બનાવ સામે આવતા રહે છે. 6 દિવસ પહેલા રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. વીજળી પડવાને કારણે જાન માલને પણ નુકશાન થાય છે. ત્યારે ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં 10 જગ્યા પર મુકવામાં આવ્યા છે. દેશમાં 10 જગ્યામાંથી બે સ્થળ એવા રાજકોટ અને કચ્છના માંડવીનો સમાવેશ થાય છે.
આ સેન્સર મશીનની આસપાસ 200 કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો તેનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે અને તેના આધારે ઈસરો દ્વારા આગળ કામ કરવામાં આવશે. આમ રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત 11 જિલ્લામાં પડતી વીજળીનું પરફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોસ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરીંગ કોલેજ ખાતે સેન્સર આજથી એક મહિના પૂર્વે મુકવામાં આવ્યું હતું.
ચોમાસામાં વાવાઝોડા દરમિયાન વીજળી પાડવાના બનાવ સામે આવતા હોય છે. જેના કારણે જાનમાલને પણ નુકશાન થતું હોય છે, ત્યારે આ આ પયલોટ પ્રોજેક્ટ સફળ થતા જો વીજળીમાંથી પાવર કેપ્ચર કરવાની સિસ્ટમ અમલમાં આવે તો આગામી દિવસોમાં વીજળી પડવાથી જાનમાલને થતું નુકસાન પણ અટકાવી શકાશે.