જીગ્નેશ મેવાણીએ આસામ સરકાર પર નાખ્યો આરોપ કહ્યું કે મને બરબાદ કરવાનું…..

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આસામ પોલીસ દ્વારા ધરપકડના મુદ્દે કોંગ્રેસ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી અને કહ્યું કે મને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તે મને સાથે લઈ ગયા પણ કેસ વિશે કંઈ કહ્યું પણ નહીં. હું એક વકીલ પણ છું પરંતુ મારા પર કઇ કલમ લગાવવામાં આવી છે તેની મને જાણ પણ કરવામાં આવી ન હતી. મારા પરિવારના સભ્યોને પણ મારી સાથે વાત કરવા દેવામાં આવી ન હતી.

image source

તેમણે કહ્યું કે ધારાસભ્ય હોવાના કારણે મને ફોન પર વાત કરવાનો અધિકાર હતો પરંતુ તેમણે મને વાત પણ કરવા દીધી ન હતી. તે લોકોએ પણ આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી ન હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જ્યારે મને જામીન મળ્યા ત્યાર બાદ એક મહિલા પર ખોટો કેસ કરવામાં આવ્યો. આસામની કોર્ટે આ એફઆઈઆરને નકલી ગણાવી છે અને પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મારી વિરુદ્ધ 19મીએ FIR નોંધવામાં આવી અને તરત જ આસામ પોલીસ 2500 કિલોમીટર દૂરથી મારી ધરપકડ કરવા ગુજરાત પહોંચી. મને પકડતી વખતે આતંકવાદીની ધરપકડ કરવા જેવો માહોલ સર્જાયો હતો. મારા અને મારી ટીમના કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા, મને શંકા છે કે તેમાં જાસૂસી સોફ્ટવેર મુકવામાં આવ્યું છે.

image source

મોદી સરકાર પર જોરદાર પ્રહાર કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું છે કે વડાપ્રધાન કાર્યાલયમાં બેઠેલા નાથુરામ ગોડસેના ભક્તોએ તેમની વિરુદ્ધ નકલી FIR કરી છે. જો ગોડસે ભક્ત કહેવા સામે વાંધો હોય તો લાલ કિલ્લા પર ઉભા રહીને ગોડસે મુર્દાબાદના નારા લગાવો. ગુજરાતમાં ચૂંટણી થવાની છે એટલે હેરાનગતિ થઈ રહી છે. પહેલા રોહિતે વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કર્યો, હવે મને ખતમ કરવા માંગે છે. પીએમ મોદી દલિત નેતાઓને પચાવી શકતા નથી.

જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું છે કે, યુવાનો સામે આંદોલન, પેપર લીક કેસ, ડ્રગ્સ કેસ, બળાત્કાર કેસમાં પગલાં નહીં લેવાય તો 1 જૂને ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, ગુજરાત બંધ રહેશે.