કમરખ ખાવાથી દૂર થાય છે આ અનેક મોટી બીમારીઓ, જાણો તમે પણ
જાણો કમરખ (સ્ટાર ફ્રુટ) સારા સ્વાસ્થ માટે કેટલું ઉપયોગી છે. સેવન થી શું લાભ થાય છે.
અધિકતર ફ્રુટ માંથી ઘણા પોષકતત્ત્વો મળે છે જે આપણા શરીરમાં જરૂરી પોષણ પૂરું પાડે છે. પોષણ પૂરું પાડવા ફ્રુટ અને શાકભાજી ખાવા માં આવે છે. ખાટ્ટા-મીઠા સ્વાદ વાળા ફળ કમરખ માં વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન બી-6 ની વધારે પ્રમાણ માં હોય છે સાથે તેમાં પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને ફાઈબર પણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. આ ફળ કાચું લીલા કલર નું જોવા મળે છે અને પાકું પીળા કલર નું જોવા મળે છે. સ્વાદ માં પણ અલગ અલગ લાગે છે
તો જોઈએ કે કેવી રીતે મદદરૂપ થાય છે
હાઈ બ્લડપ્રેશર ને કંટ્રોલમાં લાવવા માટે
આ ફળ માં વિટામિન ખનિજ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા પોટેશિયમ, ફોસ્ફરસ આયન પણ જોવા મળે છે.આ ફળ પોટેશિયમ નો મુખ્ય સ્ત્રોત છે. હૃદય ની ગતિ લોહી નું પરિભ્રમણ બરબર કરે છે. નિયમિત સેવન થી સોડિયમ ને પ્રભાવિત ઓછો કરે છે.જેથી હાય બ્લડપ્રેશર નિયંત્રણ મળે છે. તદઉપરાંત તેમાં ફાયબર જોવા મળે છે જે મોટાપા અને સ્ટોક ના જોખમો ને ઓછું કરે છે. પાચન શક્તિ માં વધારો કરે છે
લોહી ને શુદ્ધિકરણ નું કાર્ય કરે છે.
કમરખ માં જોવા મળતા મિનરલ જિંક આપણા લોહી ને સાફ કરવામાં મદદરૂપ થાય છે, જેનાથી આપણને કેટલીય પ્રકાર ની ચામડીની સમસ્યા ને ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે આપણને ખીલ તથા તેના દાગ થી બચાવે છે.
કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ કરે છે.
કમરખ થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. વજન ઘટાટવા, ચામડી ના રોગો ફાયદામંદ છે. આ કોલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે. અને હ્રદય ને સ્વસ્થ રાખે છે. આના સેવન થી ફેટી લીવર જોખમ ઓછું કરે છે. આમાં વિટામિન બી9 અને ફાયબર જેવા તત્વો જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખી ને હદય રોગ થી સંબંધિત ખતરો વધે છે.
પાચન એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેના દ્વારા આપણું શરીર પોષક તત્વો ને અવશોષિત કરી શકે છે. કમરખ માં સોલ્યુબલ ફાઈબર ની જરૂરી માત્રા હોય છે. સોલ્યુબલ ફાઈબર પાણી માં મળીને પાચન ક્રિયા ને ખૂબ સારી કરે છે. પાચન ક્રિયા વધુ સારી હોવાથી આપણે ગેસ્ટ્રો ની સમસ્યા થી બચી શકીયે છીએ
ઉપરાંતઆ ફળ થી દાદ ખુજલી થી પણ રાહત મળે છે તેમા વિટામિન સી હોય છે જે થી રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.આ ફળ નો રસ ખાવા થી ડિપ્રેશન થતું નથી. આ રસ અને બદામ નું તેલ માં ભેગું કરીને લગાવાથી વાળ માં ખોડો થતો નથી. વાળ ને વધારવા માટે વિટામિન બી-6 કોમ્પ્લેક્સ ની જરૂર હોય છે, જે વાળ ને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કમરખ માં વિટામિન બી-6 વધારે પ્રમાણ માં જોવા મળે છે જેના ઉપયોગ થી વાળ ને વધારવામાં મદદ મળે છે. તો આવી રીતે કમરખ આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. અને જો બાળકો ને જો પેટ માં થતા કરમિયા થાય તો તેના થી છુટકારો મળે છે. આ ફળ થી કેન્સર માં રાહત આપે છે.