કિયારાએ એક જ કોલ કર્યો અને સમજાવ્યો એટલે સિદ્ધાર્થનું મન પાણી પાણી થઈ ગયું, કહ્યું- ભૂલ થઈ ગઈ, હું તારા વગર નહીં જીવી શકું
બી ટાઉનમા છેલ્લા ઘણા સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થઇ રહી હતી. જોકે, સિદ્ધાર્થ અને કિઆરાએ ક્યારેય પણ પોતાના સંબંધોનો ના તો સ્વીકાર કર્યો છે કે ના તો તેમણે તેમના બ્રેકઅપ બાબતે વાત કરી હતી. જોકે, હવે એવું લાગી રહ્યુ છે કે આ બંને વચ્ચે સમાધાન થઈ ગયુ છે.
અભિનેત્રી કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો હતો? :
‘ઇટાઇમ્સ’ના અહેવાલ અનુસાર, સિદ્ધાર્થ અને કિઆરાના નિકટના મિત્રોએ જણાવ્યુ હતું કે કિઆરાએ સિદ્ધાર્થને ‘ભૂલ ભુલૈયા ૨’ના પ્રીમિયર માટે પણ ઇન્વાઇટ કર્યો હતો. તેણે સિદ્ધાર્થને ફોન કરીને ઇન્વાઇટ કર્યો હતો. કિઆરાના ફોન પછી અભિનેતા પ્રીમિયરમા આવ્યો હતો અને અભીનેત્રીને ગળે પણ લગાવી હતી. આ બંનેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
View this post on Instagram
ફોન પર બંને ખૂબ ભાવુક થઇ ગયા હતા :
વધુમા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જ્યારે કિઆરાએ સિદ્ધાર્થને ફોન કર્યો હતો ત્યારે તે બંને ખૂબ જ ઇમોશનલ થઈ ગયા હતા. આ બંનેએ પેચઅપ કરવાનુ પણ નક્કી કરી લીધું હતું. બંને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેમને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેમને ભૂલ કરી હતી અને ગુસ્સામા આવીને એકબીજાથી અલગ થવાનુ તેમણે નક્કી કર્યું હતુ. આ ફોન ખૂબ જ ઇમોશનલ હતો. એવું માનવામાં આવે છે કે હવે આ બંને એક થઈ ગયા છે અને ફરી વાર બંને એકસાથે જોવા મળશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કિઆરા અડવાણી ‘ભૂલ ભુલૈયા ૨’ પછી હવે ‘જુગ જુગ જિયો’મા જોવા મળશે. આ ફિલ્મ ૨૪ જૂને થિયેટરમા રિલીઝ થવાની. આ ફિલ્મમા વરુણ ધવન, અનિલ કપૂર, નીતુ સિંહ પણ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ તો તે ‘મિશન મજનુ’, ‘યૌદ્ધા’ અને વેબ સિરીઝ ‘ઇન્ડિયો પોલીસ ફોર્સ’મા જોવા મળશે.