ઋષિ કપૂરના પ્રેમમાં આ હદે પાગલ હતી નીતુ, શૂટિંગની વચ્ચે ચાલી ગઈ હતી મુંબઈ, અમિતાભને હિરોઇન વગર ચલાવવું પડ્યું હતું કામ
નીતુ કપૂરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં ઋષિ કપૂર નીતુ કપૂરને સગાઈની વીંટી પહેરાવતા જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું- બૈસાખી દિવસની યાદો. અમારી સગાઈ 43 વર્ષ પહેલા 13મી એપ્રિલ 1979ના રોજ થઈ હતી. તેથી જ રણબીર અને આલિયાના લગ્નના શુભ કાર્યક્રમો માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે.
નીતુ અને ઋષિના લગ્ન ફિલ્મ ‘યારાના’ના શૂટિંગ દરમિયાન થયા હતા. આને લગતો એક રમુજી કિસ્સો છે. આ એ દિવસોની વાત છે જ્યારે ઋષિ કપૂર અને નીતુ સિંહનો રોમાંસ ચરમસીમાએ હતો. ફિલ્મ ‘યારાના’ના શૂટિંગ દરમિયાન નીતુ સિંહને એક ગીતના શૂટિંગ માટે કોલકાતા જવું પડ્યું હતું. નેતાજી સુભાષ ઇન્ડોર સ્ટેડિયમમાં ફિલ્મના ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને નીતુ સિંહ ઋષિ કપૂરને ખૂબ મિસ કરી રહી હતી.
નીતુ ઋષિ કપૂરને ફોન કરવા માંગતી હતી, પરંતુ ફોન ઉપલબ્ધ ન હતો, જેના કારણે તેને કામ કરવાનું મન ન થયું. જ્યારે અમિતાભ બચ્ચને આ જોયું તો તેમણે નીતુના રડવાનું કારણ પૂછ્યું. આ બાબતની જાણ થતાં તેણે તરત જ નીતુને આગામી ફ્લાઈટમાં મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરી. અમિતાભે કહ્યું કે તેઓ આ ગીત હીરોઈન વિના શૂટ કરશે.
તમને જણાવી દઈએ કે વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થઈ રહ્યા છે. અને આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે. બપોરથી જ મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે.
નીતુ સિંહ અને સોની રાજદાને લગ્નમાં આવનાર મહેમાનોનો આદર સત્કાર કર્યો હતો. અયાન મુખર્જી અને કરણ જોહર આલિયા ભટ્ટને દુલહનને કપડામાં જોઈને રડી પડ્યા હતા. આ ઉપરાંત માતા નીતુ સિંહે પોતાના લાડકા દીકરાની નજર પણ ઉતારી હતી
મળેલી માહિતી અનુસાર લગ્નના ભોજન માટે દિલ્હીથી શૅફ બોલાવવામાં આવ્યા છે. ભોજનમાં ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટલી તથા તંદૂરી ડિશ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આલિયા માટે વીગન બર્ગરનો અલગ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આલિયા તથા ફ્રેન્ડ અનુષ્કા રંજન વીગન બર્ગરના બહુ મોટા ફૅન છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ભટ્ટ તથા કપૂર પરિવારના ફક્ત 50 સભ્યો જ હાજર રહ્યા છે. આ લગ્ન અંગેના લગભગ બધા જ નિર્ણયો રણબીરે જ લીધા છે. રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ભટ્ટ પરિવાર આલિયા અને રણબીરના ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છા હતા, પરંતુ રણબીરના શરમાળ સ્વભાવને કારણે તેમણે નિર્ણય બદલ્યો હતો. આલિયાએ જ પરિવારને સાદગીથી લગ્ન કરવા માટે મનાવ્યા હતા.