રણબીર- આલિયાના લગ્નમાં ખાલી 28 લોકોને જ આમંત્રણ, જાણો ક્યારે થશે મહેંદી અને સંગીત
વિચારો કે તે ક્ષણ કેટલી ખાસ હશે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાત ફેરા લઈને એકબીજા સાથે લગ્ન કરશે. રણબીર અને આલિયાની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. આલિયાને રણબીરની દુલ્હન બનતા જોવા માટે દરેક લોકો આતુર છે. બંનેના લગ્ન કપલ અને તેમના ચાહકો માટે ખૂબ જ ખાસ અને યાદગાર બનવાના છે.
ક્યાં હશે મહેંદી અને સંગીત ફંક્શન?
રણબીર અને આલિયાના લગ્નની સાથે તેમના લગ્ન પહેલાના ફંક્શન પણ ખૂબ જ ખાસ બનવાના છે. આલિયા અને રણબીરના લગ્ન પહેલા તેમની મહેંદી અને સંગીત ફંક્શન આરકે સ્ટુડિયોમાં યોજાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 13મી એપ્રિલે મહેંદી અને 14મી એપ્રિલે સંગીત અને હલ્દીની વિધિ થશે. 14 એપ્રિલે દિવસે હલ્હી સેરેમની અને સાંજે સંગીતનો જલસો યોજાશે. લગ્ન માટે આરકે સ્ટુડિયોને પહેલેથી જ સજાવવામાં આવ્યો છે. સ્ટુડિયોમાં એક્સ્ટ્રા સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટુડિયોની અંદર પરવાનગી વિના કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી.
આલિયા-રણબીરના લગ્નમાં આટલા મહેમાનો હાજરી આપશે
આલિયા ભટ્ટના ભાઈ રાહુલ ભટ્ટે પણ વાતચીતમાં લગ્ન સાથે જોડાયેલી ખાસ વિગતો શેર કરી છે. તેમણે કહ્યું કે લગ્નમાં ફક્ત 28 મહેમાનો જ હાજર રહેશે અને તે બધા પરિવારના સભ્યો હશે. તેઓ બધા ચેમ્બુર સુધી બસમાં જશે. આ દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.
રાહુલ ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટના પુત્ર છે. પૂજા ભટ્ટ રાહુલની મોટી બહેન છે. આલિયા મહેશ ભટ્ટ અને તેની બીજી પત્ની સોની રાજદાનની પુત્રી છે. તમામ લોકો એકબીજાની ખૂબ નજીક છે. રાહુલ પણ તેની બહેન આલિયાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત છે.