પરિવારના મહત્વના સભ્યના મોતથી રોશન પરિવારમાં શોકનો માહોલ છવાયો, જાણો કેમ આવી અણધારી આફત
રોશન પરિવાર પર દુ:ખના પહાડ તૂટી પડ્યા છે. વાસ્તવમાં, તેના પરિવાર સાથે જોડાયેલ એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા ઋત્વિક રોશનના નાની પદ્મા રાની ઓમપ્રકાશનું 16 જૂને મુંબઈમાં અવસાન થયું હતું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
ગુરુવારથી તેમના મૃત્યુના સમાચાર મીડિયામાં આવવા લાગ્યા, રાકેશ રોશનનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેમણે તેની પુષ્ટિ કરી. રાકેશ રોશને કહ્યું, “દુર્ભાગ્યે સમાચાર સાચા છે. ઓમ શાંતિ.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના મૃત્યુનું કારણ વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તમને જણાવી દઈએ કે પદ્મા જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર જે ઓમ પ્રકાશની પત્ની હતી, જે હૃતિકની માતા અને રાકેશ રોશનની પત્ની પિંકી રોશનના માતા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હૃતિકના નાની છેલ્લા બે વર્ષથી રોશન પરિવાર સાથે રહે છે અને લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડિત હતા. હૃતિકની માતા ઘણી વખત તેનો ફોટો શેર કરતી હતી, જેમાં તે ઘણીવાર બેડ પર સૂતી જોવા મળતી હતી.
હૃતિક રોશનના નાના અને દિગ્ગજ નિર્માતા જે ઓમપ્રકાશે વર્ષ 1974માં રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘આપ કી કસમ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે જીતેન્દ્ર સાથે અપના બના લો (1982), અપનાપન (1977), આશા (1980), અર્પણ (1983) અને આદમી ખીલોના હૈ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી. આ ઉપરાંત, તેણે નિર્માતા તરીકે આય મિલન કી બેલા (1964), આસ કા પાંચી (1961), આયે દિન બહાર કે (1966), આંખે આંખે મેં અને આયા સાવન ઝૂમ કે (1969) જેવી બોક્સ ઓફિસ હિટ ફિલ્મો પણ બનાવી. 07 ઓગસ્ટ 2019 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું.