પ્રિયંકા ચોપરાનો મોટો ખુલાસો, નિક જોનાસે મને આખી રાત ઊંઘવા નથી દીધી, કારણ કે…

પ્રિયંકા ચોપરા એક એવી બોલીવુડ અભિનેત્રી છે જેણે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાની જબરદસ્ત ઓળખ બનાવી. પ્રિયંકા ચોપરા સ્થિર વ્યક્તિત્વ ધરાવતી સ્વચ્છ દિલની અભિનેત્રી છે. પ્રિયંકા ચોપરાએ તેની કારકિર્દીમાં ઘણી મોટી ફિલ્મો કરી છે અને તેણે હોલીવુડ શો Baywatch પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

image source

જ્યારે પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે હોલીવુડના મોટા સિંગર નિક જોનાસને મળી હતી. નિક જોનાસ અને પ્રિયંકા પહેલા મિત્ર બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

જો કે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે પરંતુ તેમના પ્રેમે સાબિત કરી દીધું છે કે પ્રેમ કરનારાને ઉંમરથી કઈ ફર્ક પડતો નથી. 1 ડિસેમ્બર, 2018 ના રોજ, નિક જોનાસે ખ્રિસ્તી અને હિન્દુ ધર્મના રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા. આ લગ્નમાં બોલીવુડના મોટા દિગ્ગજ કલાકારો અને અભિનેત્રીઓએ પણ હાજરી આપી હતી.

image source

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ નિવેદન અને તેના અંગત જીવનના અપડેટ્સ માટે મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જ તેનું જૂનું નિવેદન મીડિયામાં ફરી વાયરલ થઈ રહ્યું છે અને આ નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે નિક જોનાસના કારણે તે આખી રાત ઉંઘી શકી નથી. હકીકતમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે નિક જોનાસને એકવાર ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે તે બીમાર રહેતો હતો અને પ્રિયંકા આખી રાત જાગીને તેની તબિયત સાચવતી હતી.