હરણના લોહીથી ન્હાય છે રશિયાના રાષ્ટ્રપતિ પુતીન? રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. લગભગ દોઢ મહિનાથી બંને દેશો વચ્ચે યુદ્ધ છે, પરંતુ કોઈ ઝૂકવા તૈયાર નથી. પરંતુ આ યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પુતિનની જીવનશૈલીને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. હવે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખડતલ નેતા તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય પુતિન વૈભવી જીવન જીવે છે. તેની લાઈફ સ્ટાઈલ અવારનવાર ચર્ચામાં રહે છે. વૈભવી જીવન જીવતા રશિયાના રાષ્ટ્રપતિની સ્નાન કરવાની રીત પણ સાવ અલગ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમીર પુતિન હરણના લોહીથી સ્નાન કરે છે.
આ મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ પુતિન હરણના શિંગડાના લોહીથી સ્નાન કરે છે. આ ઉપરાંત, તેમણે ઓન્કોલોજિસ્ટ સાથે ઘણી મુલાકાતો કરી હોવાના અહેવાલ છે.
મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે રાષ્ટ્રપતિ પુતિન હરણના શિંગડામાંથી કાઢેલા અર્કથી સ્નાન કરે છે. એવું કહેવાય છે કે આવા સ્નાન કરવાથી પુતિનની શારીરિક શક્તિ વધે છે.
રિપોર્ટ અનુસાર, પુતિન જ્યાં પણ જાય છે, એક કેન્સર સ્પેશિયાલિસ્ટ પણ તેમની સાથે હોય છે. આ રિપોર્ટ આવ્યા બાદ પુતિન વિશે ઘણી વાતો થઈ રહી છે.
રુસો-યુક્રેન યુદ્ધના કારણે પુતિન તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેત છે. આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં પુતિન સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે જ કોઈ પણ ટ્રિપ પર જાય છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ડોકટરોની ટીમમાં કેન્સર નિષ્ણાત એવજેની સેલિવાનોવ પણ સામેલ છે. સેલિવાનોવ પુતિન સાથે 35 વખત પ્રવાસ કરી ચૂક્યા છે.