રાજ્યના પેટ્રોલ પંપના સંચાલકો લડતના રસ્તે, ગુજરાતમાં આ દિવસે ઈંધણની ખરીદી બંધ રહેશે
ગુજરાતમાં રાજ્યના પેટ્રોલ પંપ સંચાલકો ફરી વખત લડાઈના મૂડમા આવ્યા છે. ૩૧મેના દિવસે પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા રાજ્યમા નો-પરચેઝ આંદોલન કરવામાં આવશે. ૩૧મેના દિવસે પેટ્રોલ પંપના સંચાલકો ઇંધણની ખરીદી કરશે નહીં. છેલ્લા પાંચ વર્ષથી સરકારે ડીલર્સ કમિશન ન વધારવાટી આ આંદોલન હાથ કરવામાં આવશે. દેશના ૧૬ જેટલા રાજ્યો સાથે ગુજરાતમા નો-પરચેઝ આંદોલન કરવામાં આવશે. જો કે, ગ્રાહકોની મુશ્કેલીનું નિવારવા કરવા માટે સોમવારે આ પંપોમા જરૂરી સ્ટોક કરી લેવામાં આવશે.
ગ્રાહક હેરાન ન થાય તેના માટે સ્ટોક કરી લેવામાં આવશે :
ગ્રાહકો હેરાન ન થાય તેના માટે થઈને આ પેટ્રોલપંપ પર પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ગેસનુ વેચાણ ચાલુ રખાશે તેવી ખાતરી પંપના સંચાલકોએ આપી છે. પરંતુ ૩૧ મેના દિવસે આ પંપના સંચાલકો ઇંધણની ખરીદી કરશે નહીં.
ડીલર માર્જિનમા વધારો કરવામા આવે તેમજ એક્સાઇઝ ડ્યુટીને પણ ઘટાડવામાં આવે :
હાલમા જ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને એવી માંગ કરી છે કે, ડીલર માર્જિનમા વધારો કરવામા આવે તેમજ તેની સાથે એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડવામા આવે ત્યારે સપ્તાહના અંતમા અને તહેવારના સમયમા તેનો ઘટાડો ન કરવામા આવે. ત્યારે હવે જોવાનુ એ છે કે શું રાજ્ય સરકાર તેમની માંગ પૂરી કરે છે કે નહીં.