સંધિવાની સમસ્યામાંથી રાહત મેળવવા કરો આ નેચરલી ઉપાય, આજે જ લઇ આવો આ જડ્ડીબુટ્ટી અને કરો આ રીતે ઉપયોગ

જ્યારે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાનું શરૂ થાય છે ત્યારે સંધિવાની સમસ્યાઓ થાય છે. સંધિવાને ટાળવા માટે સૌથી પેહલા શરીરમાંથી યુરિક એસિડ ઓછું કરવું જોઈએ. આયુર્વેદિક ઔષધિની મદદથી, તમે યુરિક એસિડ ઘટાડી શકો છો અને સંધિવાની સમસ્યા દૂર કરી શકો છો. જ્યારે કોઈ વ્યક્તિ સંધિવાની સમસ્યાથી પીડાય છે, ત્યારે તેને સાંધાનો દુખાવો થાય છે અને સોજો આવે છે. આ પીડા ઘણીવાર અસહ્ય બની જાય છે. ખરેખર, જ્યારે પ્યુરિન એસિડ શરીરમાં તૂટી જવાનું શરૂ કરે છે અને તે આપણા શરીરમાંથી બહાર નીકળી શકતું નથી, તો પછી તે હાડકાં અને સાંધા વચ્ચે એકઠું થવા લાગે છે અને તીવ્ર દુખાવો શરુ થાય છે.

image source

સંધિવા 100 થી વધુ પ્રકારના છે જેમની સારવારની રીત પણ અલગ છે. સામાન્ય રીતે આ રોગ 60 વર્ષ પછી જોવા મળે છે પરંતુ તે કોઈપણ વયથી શરૂ થઈ શકે છે. એવું પણ કહેવામાં આવે છે કે મહિલાઓને પુરૂષો કરતાં સંધિવાની સમસ્યા વધારે હોય છે. વધારે વજનવાળા લોકોને પણ આ રોગ થઈ શકે છે. આ રોગને દૂર કરવા માટે કેટલીક આયુર્વેદિક ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કરીને કુદરતી રીતે શરીરમાંથી યુરિક એસિડ ઓછું થઈ શકે છે અને સંધિવાને ઝડપી ફાયદો મળે છે.

1. મુલેઠી

image soucre

મુલેઠીનું નામ આયુર્વેદિક ઔષધીમાં મુખ્યરૂપે લેવામાં આવે છે. સંધિવાના રોગમાં તે ખૂબ જ ઉપયોગી છે. મુળેઠીમાં ગ્લાયસિરીઝિન નામનું સંયોજન હોય છે જે સંધિવાના સોજા ઘટાડે છે. તે ફ્રી રેડિકલ્સથી શરીરને સુરક્ષિત કરે છે. જો તમે નિષ્ણાતનો અભિપ્રાય લીધા પછી મુલેઠીનું સેવન યોગ્ય રીતે કરો છો, તો તેનો ઉપયોગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

2. અશ્વગંધા

image soucre

અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ પણ છે જે સંધિવામાં યુરિક એસિડ ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. તે સંધિવાના કારણે થતા સોજા દૂર કરે છે. જો તમે દૂધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરો છો તો તે તરત જ તેની અસર બતાવશે. અશ્વગંધાના સેવનથી આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

3.હળદર

image soucre

દરેક ઘરોમાં હળદરનો ઉપયોગ થાય જ છે. હળદરમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. હળદરનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ થાય છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે શરીરમાં સોજા ઘટાડવા માટે અસરકારક છે. તે સંધિવાના સોજા પણ ઘટાડે છે અને દુખાવો દૂર કરે છે.

4. આદુ

image soucre

સંધિવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આદુ પણ ફાયદાકારક છે. તમે આદુનો ઉપયોગ ચા, સલાડ અથવા ખોરાકમાં પણ કરી શકો છો. સંધિવાના દર્દીઓએ આદુનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો શરીરના સોજા ઘટાડવામાં મદદ કરે છે.

5. નીલગિરી

image soucre

સંધિવાના દુખાવામાં રાહત માટે નીલગિરીનું પાન ખૂબ ઉપયોગી છે જો તમે નીલગિરીના પાનમાં બદામના તેલ મિક્સ કરીને સાંધા પર લગાવશો તો સાંધાનો દુખાવો દૂર થશે.

6. તુલસી

image soucre

દરરોજ ઓછામાં ઓછા 3 થી 4 તુલસીના પાન ખાઓ અથવા તુલસીની ચા પીવો, અસરગ્રસ્ત સાંધાના સોજામાં ચોવીસ કલાકમાં ઘટાડો થાય છે. તુલસીમાં સંધિવા વિરોધી ગુણધર્મો હોય છે, તેથી વિશ્વભરમાં તેનો ઉપયોગ સંધિવાની સારવારમાં થાય છે.

7. સરસવના તેલ સાથે માલિશ કરવાથી

image source

સરસવના તેલથી મસાજ કરવામાં આવે તો સંધિવાની પીડા અને સોજાનો દુખાવો મટે છે. તે લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જો તમે સૂતા પહેલા સરસવના તેલની માલિશ કરો છો, તો તમને સારા પરિણામ મળશે.

8. લસણ

image soucre

લસણ એક અસરકારક ઔષધિ છે. લસણનું સેવન સંધિવાને કારણે હાડકામાં થતા પરિવર્તનને રોકે છે. દરરોજ સવારે લસણની 2-2 કળી ખાવાથી સંધિવામાં થતો સોજો અને દુખાવો દૂર થાય છે.

9. એપલ સાઇડર વિનેગર

image source

એપલ સાઇડર વિનેગર એક ચમચી, એક ચમચી મધ એક કપ ગરમ પાણીમાં નાખીને દરરોજ સવારે ઉકાળો બનાવો અને તેનું સેવન કરો. એપલ સાઇડર વિનેગર પીડામાંથી રાહત તો આપે જ છે, સાથે સાંધા પેશીઓમાંથી ઝેરી પદાર્થોને પણ દૂર કરવામાં પણ મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત