સંજય દત્તના જ્યોતિષે જણાવી હતી એમના પાછલા જન્મની સ્ટોરી, કંઇક એવું કહ્યું કે કરવો પડ્યો વિશ્વાસ

તાજેતરમાં જ સંજય દત્ત પોતાની એક તસવીરને કારણે ટ્રોલીંગનો શિકાર બન્યો હતો. વાયરલ ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સાથે છે.સંજય દત્ત અને કોન્ટ્રોવર્સીનો જુનો સંબંધ છે. યંગ એજમાં ડ્રગ્સની લત, અંડરવર્લ્ડ સાથે કનેક્શન, મુંબઈ બ્લાસ્ટમાં જેલ જેવા અનેક વિવાદોમાં તેનું નામ સામે આવ્યું છે. સંજય દત્ત કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચ્યો હતો. અહીં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે મદ્રાસના એક ગામમાં એક જ્યોતિષીએ કંઈક એવું કહ્યું હતું જેના પર વિશ્વાસ કરવો કોઈપણ માટે મુશ્કેલ હશે.

C Grade ફિલ્મમાં કામ કરતી હતી માન્યતા દત્ત, બદનામીના ડરથી સંજુ બાબાએ કર્યું  હતું આ કામ | News in Gujarati
image soucre

સુષ્મિતા સેન પણ સંજય દત્ત સાથે કોફી વિથ કરણમાં પહોંચી હતી. જ્યારે બંનેએ આધ્યાત્મિકતા વિશે વાત કરી તો સંજય દત્તે પોતાના પાછલા જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાહેર કર્યું હતું. સંજય જણાવે છે કે તે મદ્રાસના નાના ગામ શિવનારીમાં એક જ્યોતિષ પાસે ગયો હતો. તેણે મજાકમાં કહ્યું કે ત્યાંના લોકો માત્ર રજનીકાંતને ઓળખે છે, મને ઓળખવાનો પ્રશ્ન જ નથી. સંજયે કહ્યું હતું કે, ત્યાં તેઓ તમારા અંગૂઠાની છાપથી તમારું સરનામું શોધી કાઢે છે. મારા નામનું સરનામું શોધીને તેણે કહ્યું, તારા પિતાનું નામ બલરાજ દત્ત છે. મેં કહ્યું ના સુનીલ દત્ત. આ પછી તેણે કહ્યું કે તારી માતાનું નામ ફાતિમા હુસૈન (નરગીસનું સાચું નામ) છે. સંજયને નવાઈ લાગી કારણ કે આ વાત કોઈ જાણતું નથી. જો કે તે અડગ રહ્યો કે નહીં, આ તેના માતાપિતાના નામ નથી.

image socure

સંજયે જણાવ્યું કે આ પછી ત્યાં રહેલા પંડિતોએ તેના પૂર્વજન્મ વિશે જણાવ્યું. સંજય કહે, હું અશોકના કુળનો રાજા હતો. મારી પત્નીને મારા મંત્રી સાથે અફેર હતું. તેણી મને યુદ્ધમાં મોકલે છે જેથી હું ત્યાં મરી શકું. પણ ત્યાં મેં ઘણા લોકોને માર્યા અને પાછા આવ્યા. પરત આવતાં મેં મારી પત્ની અને મંત્રીને પણ મારી નાખ્યા. હું શિવનો ભક્ત હતો. પછી તે જંગલમાં ગયો અને ત્યાં ભૂખે મરી ગયો. સંજયે કહ્યું હતું કે તેના પાછલા જન્મના કારણે તેનો જન્મ આવા પરિવારમાં થયો હતો. તેના જીવનમાં મુશ્કેલીઓ આવી હતી કારણ કે તેણે તેના પાછલા જીવનમાં ઘણા લોકોની હત્યા કરી હતી.