સ્કિન બહુ કાળી પડી ગઇ છે? તો ના કરશો આ ભૂલો, સાથે જાણી લો ગ્લોઇંગ સ્કિન મેળવવા શું કરશો

દરેકને ગ્લોઇંગ ત્વચા જોઈએ છે.ચમકતી ત્વચા મેળવવા માટે લોકો બ્યુટી પાર્લરમાં કલાકોનો સમય પસાર કરે છે પરંતુ આ ત્વચાને થોડી વાર માટે જ સુંદર બનાવે છે.બ્યુટી પ્રોડક્ટ્સમાં હાજર રસાયણો ચહેરાને નુકસાન પહોંચાડે છે,જેનાથી ચહેરો ખીલવાને બદલે સંવેદનશીલ બને છે.શારીરિક સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચાની સંભાળ લેવી પણ મહત્વપૂર્ણ છે.કેટલીકવાર લોકો તેમની ત્વચાની સંભાળ રાખવામાં બેદરકારી દાખવે છે,જેના કારણે તેમને પિમ્પલ્સ,ડ્રાય સ્કિન જેવી બીજી ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.એવું કહેવામાં આવે છે કે રાત્રે ઊંઘ આવ્યા પછી ત્વચા સ્વસ્થ થઈ જાય છે તેથી તમારે સૂતા પહેલા પણ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે કઈ ભૂલો ન કરવી જોઈએ.

મેકઅપ દૂર કરવાનું ભૂલશો નહીં

image source

દિવસ દરમિયાન મેકઅપ લગાવવાથી ત્વચાના છિદ્રો બંધ થાય છે,જે ત્વચાની સમસ્યાઓનું જોખમ વધારે છે. ત્વચાને કાળી બનાવે છે અને ત્વચા પર ખીલ સાથે કાળા વર્તુળો પણ થાય છે.ત્વચા છિદ્રો રાત્રે ખુલે છે,તેથી તે મહત્વનું છે કે તમારે રાત્રે સુતા પેહલા તમારા ચેહરા પરનો મેકઅપ દૂર કરવો જોઈએ.તેનાથી ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળે છે.

ત્વચાને વારંવાર ધોશો નહીં

image source

જો તમને પણ વારંવાર ચહેરો ધોવાની ટેવ હોય,તો આ આદતને જલદીથી છોડી દો.વારંવાર ચેહરો ધોવાથી ત્વચા શુષ્ક અને નિર્જીવ બની શકે છે.તે જ સમયે જો તમે ચહેરો ધોતી વખતે સાબુ અથવા ફેસવોશનો ઉપયોગ કરો છો,તો તે ત્વચાને નુકસાન થવાનું જોખમ પણ વધારે છે.તેનો મતલબ એવો પણ નથી કે દિવસભર તમારે ચેહરો ધોવાનો જ નહીં,તમે દિવસમાં 2 થી 3 વખત તમારો ચેહરો ધોઈ શકો છો.

ઓશિકા પણ ચહેરા પર અસર કરે છે:

image source

પરસેવો,તેલ,વાળ સૂવાના સમયે ઓશિકા પર પડે છે,તેનાથી ઓશીકું બેક્ટેરિયાવાળું થાય છે.આવી સ્થિતિમાં જો તમે લાંબા સમય સુધી તે જ ઓશીકાનો ઉપયોગ કરો છો તો ચહેરા પર પિમ્પલ્સ અને ચેહરા પર કાળાશની સમસ્યા વધી શકે છે.

રાત્રે સૂતા પહેલા ક્લીંઝરથી ચહેરો સાફ કરવો પણ જરૂરી છે.પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ત્વચા પર ક્લીંઝરનો ઉપયોગ કરતી વખતે ક્લીન્સર સલ્ફેટથી મુક્ત જ હોવું જોઈએ નહીં તો તે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

મુલ્તાની માંટ્ટીનો ઉપયોગ

image source

તમે તમારા ચેહરાની સુંદરતા વધારવા માટે મુલ્તાની માંટ્ટીનો ઉપયોગ કરી શકો છો.મુલ્તાની માંટ્ટી લગાડવાથી ચેહરા પર કોઈ નુકસાન નથી થતું.તે ચેહરા માટે ખુબ જ ફાયદાકારક છે.તમે મુલ્તાની માંટ્ટીમાં ગુલાબજળ નાખો અને તેનું એક ફેસ-પેક બનાવો.આ ફેસ-પેક તમારા ચેહરા પર 20 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ તમારો ચેહરો ઠંડા પાણીથી ધોઈ લો.આ ઉપાય તમે દિવસમાં એકવાર કરી શકો છો.જો આ ઉપાય તમે રાત્રે સુવાના સમય પર કરશો તો વધુ સારું રહેશે.કારણ કે આખા દિવસમાં તમારા ચેહરા પર જમા થયેલી ધૂળને મુલ્તાની માંટ્ટી દૂર કરશે અને તમારી ત્વચા ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત