તારક મહેતા શોમાં 4 વર્ષ બાદ દયાભાભીની થશે એન્ટ્રી, જેઠાલાલે આપી દીધા ચોખ્ખા સંકેત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દરેકના પસંદનો શો છે. આ શો કેટલાય વર્ષોથી આવે છે, પરંતુ આ શોની ટીઆરપી માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ શોમાં દિશા વાકાણી છેલ્લાં ચાર વર્ષથી જોવા મળતી નથી. હવે ચર્ચા છે કે દિશા વાકાણી એટલે કે દયાભાભી શોમાં પરત ફરશે. સિરિયલમાં જેઠાલાલે આ અંગે સંકેત આપ્યો હતો.

image source

સિરિયલના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ (દિલીપ જોષી), મિસ્ટર સોઢી (બલવિંદ સિંહ સૂરી)ને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પરત આવી જશે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે, ત્યારથી પરત આવી શકી નથી. તો તારક મહેતા (શૈલેષ લોઢા) જેઠાલાલને કહે છે કે તે અમદાવાદ જઈને દયાભાભીને લઈ આવે, કારણ કે અમદાવાદ એટલું દૂર નથી.

તારક મહેતાની વાત સાંભળીને જેઠાલાલ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે તેણે જ્યારે પણ દયાને પરત લાવવાની યોજના બનાવી, ત્યારે કોવિડ 19ના નિયમો લાગુ થઈ જાય છે. આટલું કહ્યાં બાદ જેઠાલાલ કહે છે કે જ્યારે કોવિડ 19ના નિયમો હટાવી દેવામાં આવશે ત્યારે તે દયા સાથે યાત્રા પર જશે. છેલ્લે ઐય્યર (તનુજ મહાશબ્દે), જેઠાલાલને પૂછે છે કે તે શું કરવાનો છે ? તો જેઠાલાલે જવાબ આપ્યો હતો કે તે તો દયા પર નિર્ભર છે.

image source

ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાના નિયમો સાવ હળવા કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ચાહકોમાં એવી ચર્ચા થવા લાગી કે દેશભરમાં જ્યારે કોરોનાના નિયમો નામ પૂરતા રહી ગયા છે તો હવે સિરિયલમાં પણ દયાભાભી પરત ફરશે. હવે સિરિયલમાં નવાં દયાભાભી આવે છે કે દિશા વાકાણી તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં અસિત મોદીએ કહ્યું હતું કે તે અંતિમ ક્ષણ સુધી દિશા વાકાણીને શોમાં લાવવાનો પ્રયાસ કરશે. આ પાત્ર ચાહકોમાં ઘણું જ લોકપ્રિય છે. જો દિશા વાકાણી શોમાં પરત નથી જ ફરતી તો તે રિપ્લેસમેન્ટ શોધશે.