આ બે શરતો પર અર્ચનાએ કર્યા હતા બીજા લગ્ન, 4 વર્ષ સુધી છુપાવીને રાખી હતી વાત; કહ્યું હતું- બેડ પર ક્યારે પણ…

શોમાં છોકરાઓની આદત વિશે વાત કરવામાં આવી રહી હતી કે છોકરાઓ નહાયા પછી પલંગ પર ભીનો ટુવાલ કેમ નાખે છે. આ અંગે અર્ચના પુરણ સિંહે એક મજાની વાત કહી. તેમણે કહ્યું કે લગ્ન પહેલા તેમણે પરમીત સેઠીની સામે બે શરતો રાખી હતી. પહેલું એ કે તે ક્યારેય રસોડામાં જતી ન હતી કારણ કે તેને રસોઇ બનાવતા આવડતું ન હતું અને બીજું કે પરમીત ક્યારેય પલંગ પર ભીનો ટુવાલ રાખતો ન હતો.

image source

બંનેએ મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા

પરમીત સેઠી અને અર્ચના પુરણ સિંહે તેમના લગ્નને ચાર વર્ષ સુધી ગુપ્ત રાખ્યા હતા. તેઓએ મંદિરમાં લગ્ન કર્યા હતા, જે આ બે સિવાય કોઈને ખબર ન હતી. પહેલા બંને લિવ-ઈનમાં રહેતા હતા. પરંતુ અચાનક જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને નક્કી કર્યું કે મંદિરમાં જ લગ્ન કરવાના છે. બંને મોડી રાત્રે 11 વાગ્યે મંદિર પહોંચ્યા પરંતુ પંડિતે તેમને બીજા દિવસે આવવાનું કહીને પાછા મોકલી દીધા. આ પછી બંને બીજા દિવસે ફરી મંદિર પહોંચ્યા અને લગ્ન કરી લીધા. બંનેના લગ્નને 30 વર્ષ થયા છે અને હજુ પણ સાથે છે.