તમારે જોવું છે કે રામ મંદિર નિર્માણનું કામ ક્યાં પહોંચ્યું, જો આવી ગયા લેટેસ્ટ ફોટો, જોઈ લો અહીં તસવીરો

આજે દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે અયોધ્યામાં કેવી રીતે બની રહ્યું છે શ્રી રામ જન્મભૂમિ મંદિર ? બાંધકામનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે ? આ સાથે અયોધ્યાના રામજન્મભૂમિ સંકુલના 70 એકરમાં બીજું શું નિર્માણ થવાનું છે? આજે અમે તમને આ બધું જણાવીશું. સૌથી પહેલા આ તસવીરો જુઓ જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે.

image source

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સ્થળ પર પથ્થરના બ્લોક્સ સાથે ફ્લોરનું બાંધકામ શરૂ થઈ ગયું છે. અગાઉ રામ લલ્લા જે ગર્ભગૃહમાં બેઠા હતા ત્યાં પ્લેટફોર્મ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. ગર્ભગૃહ પર ઉંચો પ્લેટફોર્મ બનાવવાની સાથે જ માળનું કામ શરૂ થશે. બાકી મંદિર નિર્માણ સ્થળના મોટા ભાગ પર ફ્લોર કન્સ્ટ્રક્શનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.

આ રીતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ડિસેમ્બર 2023 માં મુલાકાતીઓ માટે રામ મંદિર ખોલવાના તેના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ માટે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ બંસી પહારપુરમાં સ્થાપિત વર્કશોપમાંથી કોતરવામાં આવેલા પથ્થરોને પણ રામજન્મભૂમિ સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે.

image source

આ બધુ શ્રી રામ જન્મભૂમિ સંકુલના 70 એકરમાં થશે. શ્રી રામ જન્મભૂમિ સંકુલની 70 એકર જમીનમાં રામજન્મભૂમિ મંદિર ઉપરાંત ઘણું બધુ હશે. નક્ષત્રનો બગીચો હશે, જેમાં નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ થશે. ત્યાં એક મ્યુઝિયમ હશે, જેમાં ખોદકામ દરમિયાન મળેલા અવશેષો રાખવામાં આવશે. તેમાં એક પુસ્તકાલય હશે જ્યાં શ્રી રામ મંદિર અને તેના માટેના સંઘર્ષ ઉપરાંત સનાતન ધર્મને લગતા પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ હશે. તે રામજન્મભૂમિના દર્શન કરવા આવનાર ભક્તોને બતાવવામાં આવશે.

એટલું જ નહીં રામજન્મભૂમિ સંકુલમાં યજ્ઞશાળા અને સત્સંગ સ્થળ પણ હશે. ભક્તોને પ્રસાદ વિતરણ માટે ત્યાં એક રસોડું પણ બનાવવામાં આવશે, જ્યારે કોરિડોરમાં શ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત મૂર્તિઓ હશે. રામ મંદિરની સાથે શ્રી રામના વિશિષ્ટ ભક્ત અને સેવક હનુમાનજી અને ભગવાન શંકરનું મંદિર પણ બનાવવામાં આવશે. રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષા અભેદ્ય રહેશે. શ્રી રામ મંદિરના નિર્માણની સાથે સાથે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે અયોધ્યા આવશે.