યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિને આ દેશના રાષ્ટ્રપતિની માફી માંગવી પડી
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે જેમાં જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર યહૂદી મૂળના હોવાનું કહેવામાં આવ્યું હતું. લવરોવના આ નિવેદનનો ઈઝરાયલે જોરદાર વિરોધ કર્યો હતો અને રશિયન રાજદૂતને બોલાવીને માફી માંગવા કહ્યું હતું. રશિયાના વિદેશ મંત્રીના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
આ પછી, ઇઝરાયેલના વડા પ્રધાન નાફ્તાલી બેનેટે ટ્વીટ કર્યું કે ગુરુવારે તેમણે રાષ્ટ્રપતિ પુતિનને મેરીપોલની સ્ટીલ ફેક્ટરીમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે વિનંતી કરવા માટે ફોન કર્યો હતો. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ ફેક્ટરીમાં હાજર નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માર્ગ આપવા માટે સંમત થયા હતા. આ દરમિયાન તેમણે વિદેશ મંત્રી લવરોવના નિવેદનને યોગ્ય ન માન્યું. પુતિને લવરોવના નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો હતો.
આ વાતચીત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ પીએમ નાફતાલી બેનેટને જર્મન હોલોકોસ્ટ અંગે તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવા બદલ આભાર પણ માન્યો. આ ચર્ચા વચ્ચે પુતિને ઈઝરાયેલના સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નફતાલી બેનેટને પણ શુભેચ્છા પાઠવી હતી. આ વર્ષે ઈઝરાયેલ તેનો 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. બેનેટે રાષ્ટ્રપતિ પુતિનની શુભકામનાઓ બદલ આભાર માન્યો હતો.
The request came as a result of Prime Minister Bennett’s conversation yesterday with Ukraine President Volodymyr Zelensky.
President Putin promised to allow the evacuation of civilians, including wounded civilians, through a UN and Red Cross humanitarian corridor.
— Prime Minister of Israel (@IsraeliPM) May 5, 2022
લવરોવે કથિત રીતે કહ્યું કે યુક્રેનમાં મોસ્કોના ઓપરેશનને સમજાવવા હિટલર પાસે યહૂદી વારસો છે તે પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે રશિયા અને ઈઝરાયેલ વચ્ચે સારા સંબંધો છે. આ સંબંધોના કારણે ઈઝરાયેલના પીએમ બેનેટે મોસ્કો જઈને યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુતિન પણ આ મુશ્કેલ સમયમાં કારણ વગર કોઈની નારાજગી લેવા માંગતા નથી.