વજન ઓછુ કરવાની ઉતાવળમાં ક્યારે ના કરતા આ ભૂલો, નહિં તો શરીરમાં બીજુ થશે આ નુકસાન

શરીરનો મેટાબૉલિક રેટ દર્શાવે છે કે એક દિવસમાં કેટલી ઊર્જાની જરૂર હોય છે. જો શરીરનું મેટાબૉલિઝ્મ ઠીક રહેશે નહીં તો માંસપેશિઓમાં નબળાઇ, થાક, સુસ્તી, શુષ્ક ત્વચા, વજન વધવું, સાંધામાં સોજો વગેરે સમસ્યાઓ પેદા થશે. એટલા માટે સ્વસ્થ વજન અને બીમારીઓને દૂર રાખવા માટે મેટાબૉલિઝ્મને જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. લોકોએ પોતાની લાઇફસ્ટાઇલમાં કેટલીક એવી આદતો સામેલ કરી લીધી છે જે મેટાબૉલિઝ્મને ધીમી કરી દે છે અને સ્વાસ્થ્ય પર જોખમ મંડરાવા લાગે છે.વ્યક્તિ જે પણ ખાય છે તે ઊર્જામાં બદલાય છે ,બીજા શબ્દોમાં કહીએ તો મેટાબૉલિઝ્મ એવી શારીરિક પ્રક્રિયા છે જેના મારફતે જ શરીર ભોજનને ઊર્જામાં બદલે છે અને આ ઊર્જા દરરોજનાં કાર્યોમાં ખર્ચ થાય છે. માનવ શરીરને દિવસભરના કામ માટે, ભોજન પચાવવા માટે, બ્લડ સર્ક્યુલેશનથી લઇને હૉર્મોનલ સંતુલન જેવા કાર્યો માટે પર્યાપ્ત પ્રમાણમાં ઊર્જા જોઇએ જે તેને ભોજનમાંથી મળે છે. ખાસ વાત એ છે કે શરીરની રચના અનુસાર ઊર્જાની જરૂર હોય છે અને આ ઊર્જા મેટાબૉલિઝ્મની ક્રિયાથી મળે છે. જાણો, કેટલીક એવી આદતો વિશે જેનાથી મેટાબૉલિઝ્મ ધીમું થઇ જાય છે.

કેલરી ઓછી કરવી :-

image source

લોકો વચ્ચે એવી માન્યતા છે કે વજન ઘટાડવું છે તો કેલરી ઘટાડવી પડશે, વજન ઓછું કરવાના ચક્કરમાં પર્યાપ્ત પ્રમાણમાં ભોજન ન લેવાથી મેટાબૉલિઝ્મ ધીમે કામ કરવા લાગે છે. ઓછી કેલરી શરીર માટે મુશ્કેલી પેદા કરી શકે છે. યોગ્ય રહેશે કે વજન ઓછું કરવા માટે કોઇ વ્યવહારિક યોજના બનાવો અથવા તો કોઇ નિષ્ણાંતની મદદ લો.

મીઠાં પીણાંનું વધારે સેવન કરવું :

image source

મીઠાં પીણાં સ્વાદમાં તો ખૂબ જ મસ્ત હોય છે પરંતુ મેટાબૉલિઝ્મના રેટને અસર કરે છે. શર્કરા યુક્ત પીણાંમાં ફ્રુક્ટોઝ હોય છે જે મેટાબૉલિઝ્મ રેટને ઘટાડી શકે છે અને વજન વધારી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે ફ્રુક્ટોઝ યુક્ત પીણાં પદાર્થોનું વધુ સેવન મેટાબૉલિઝ્મ રેટને ઓછું તો કરે જ છે, આ સાથે જ પેટ અને લિવરમાં ચરબીનું પ્રમાણ વધારે છે.

ઓછુ પ્રોટીન ધરાવતો આહાર લેવો :

image source

પ્રોટીનથી ભરપૂર ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર્સનું કહેવું છે કે પ્રોટીન માંસપેશિઓ, ત્વચા, એન્ઝાઇમ અને હૉર્મોન્સ, શરીરની માંસપેશિઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. તેના સેવનમાં ઘટાડો કરવાથી મેટાબૉલિઝ્મ પર પણ તેની અસર જોવા મળે છે. પ્રોટીન યુક્ત આહાર પેટને સંતૃપ્ત હોવાનો અહેસાસ કરાવે છે અને સ્વસ્થ પાચનને પ્રોત્સાહન આપે છે, જેનાથી વજનને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. પ્રોટીનથી ભરપૂર આહાર મેટાબોલિઝ્મ રેટને જાળવી રાખવા અને ફિટ રાખવામાં મદદ કરી શકે છે.

પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન પીવું :-

image source

પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન પીવાથી મેટાબૉલિઝ્મ પર ખરાબ અસર પડે છે. દિવસભર પાણી પીતા રહો અને એવાં ખાદ્ય પદાર્થોનું સેવન કરો, જેમાં પ્રાકૃતિક રીતે પાણી રહેલું હોય જેમ કે, તરબૂચ.

ઓછી ઊંઘ લેવી :-

image soucre

એક અભ્યાસ અનુસાર, પર્યાપ્ત ઊંઘ ન લેવાથી મેટાબૉલિઝ્મ રેટને અસર થઇ શકે છે જેનાથી વજન વધી શકે છે, 7-8 કલાકની સારી ઊંઘ તેના રેટને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.

શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો :-

image soucre

મોટાભાગના લોકો કલાકો બેસીને કામ કરે છે, શારીરિક પ્રવૃત્તિઓ વગર સતત બેસી રહેવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેમાં પણ આ લાઇફસ્ટાઇલની સાથે કેટલાય લોકો વ્યાયામને મહત્ત્વા આપતા નથી. આ ભૂલ મેટાબૉલિઝ્મ અને સમગ્ર સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. શારીરિક કસરતથી તેની ભરપાઇ જરૂરી છે. વધતા વજનને ઓછું કરવામાં પણ મીઠું ફાયદાકારક હોય છે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને પીઓ. તે મેટોબૉલિક રેટને યોગ્ય બનાવવાની સાથે પાચનતંત્રને પણ યોગ્ય રાખે છે. મેટાબૉલિક રેટ વધવાથી શરીરમા એકઠી ચરબી ધીમે-ધીમે નીકાળી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત