પ્રેમીના પ્રેમમાં પાગલ હતી પત્ની, લગ્નના 36 દિવસ બાદ જ પતિને આપ્યું આટલું દર્દનાક મોત

હૈદરાબાદમાં એક મહિલાએ લગ્નના 36 દિવસ બાદ જ તેના પતિની હત્યા કરી નાખી. મહિલાએ તેના કેટલાક મિત્રો અને સંબંધીઓ સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ચોંકાવનારી ઘટના તેલંગાણાની છે, જે 28 એપ્રિલે બની હતી પરંતુ 10 દિવસ પછી સામે આવી છે. મહિલાનું કહેવું છે કે તેના પતિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પરંતુ તે મહિલાની માતાએ કહ્યું કે આ હત્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 19 વર્ષની શ્યામલાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેના 24 વર્ષીય પતિ કે. ચંદ્રશેખરની હત્યાનું કાવતરું ગડ્યું. ઝેર આપીને મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ પ્રેમીએ શિવ સાથે મળીને કાવતરું ઘડીને તેના પતિની હત્યા કરી નાખી. સિદ્ધિપેટ પોલીસ સ્ટેશનના અધિકારી રવિ કુમારે જણાવ્યું કે તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્યામલાનું શિવ સાથે ત્રણ વર્ષથી અફેર હતું. પરંતુ મહિલાએ તેના પરિવારના સભ્યોના દબાણમાં 23 માર્ચે ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા હતા.

image source

લગ્ન પછી શ્યામલાએ તેના પ્રેમી શિવ સાથે અફેર ચાલુ રાખ્યું અને તેના પતિ ચંદ્રશેખરની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. પોલીસ તપાસ દરમિયાન મહિલાએ કબૂલ્યું હતું કે તેણે 19 એપ્રિલે તેના પતિ ચંદ્રશેખરને ખોરાકમાં ઝેર આપ્યું હતું પરંતુ સારવાર બાદ તે બચી ગઈ હતી. પહેલીવાર મોતને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યા બાદ મહિલાએ નવો પ્લાન બનાવ્યો. ત્યારબાદ 19 એપ્રિલે જ શ્યામલાએ તેના પતિ ચંદ્રશેખરને મંદિરમાં લઈ જવા કહ્યું. એક ગામમાં પહોંચ્યા પછી, શ્યામલાના મિત્રો અને સંબંધીઓ રાકેશ, રણજીત, સાયક્રિષ્ના અને બૈભવે તેની મોટરસાઇકલને કારની આગળ પાર્ક કરીને રોકી હતી.

ત્યારબાદ આ લોકોએ ચંદ્રશેખરને પકડી લીધો અને શ્યામલાએ તેના પ્રેમી શિવ સાથે મળીને ચંદ્રશેખરની ગળું દબાવીને હત્યા કરી નાખી અને ચંદ્રશેખરના પરિવારને ફોન કરીને જણાવ્યું કે તેનું મોત છાતીમાં દુખાવાને કારણે થયું છે. પરંતુ ચંદ્રશેખરની માતા ન માની અને પોલીસમાં કેસ દાખલ કર્યો. પોલીસ તપાસમાં આ મોતનું સમગ્ર સત્ય બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.