આટલું સરસ રીતે IPL 2022નું આયોજન કરવા બદલ અસલી હીરોને આપ્યું આટલા કરોડનું ઇનામ

IPL 15 ની સિઝન પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન લીગની તમામ મેચો મુંબઈના વાનખેડે અને ડીવાય પાટીલ, બ્રેબ્રોન અને એમસીએ મેદાનમાં રમાઈ હતી. જે બાદ હવે પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને BCCI સેક્રેટરી જય શાહ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. તેણે તમામ સ્ટેડિયમના પીચ ક્યુરેટર્સ માટે ઈનામની જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

image source

BCCI સેક્રેટરી જય શાહે પિચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને લઈને મોટી જાહેરાત કરી છે. તેણે ટ્વીટ કર્યું કે IPLના અનસંગ હીરોઝ માટે 1.25 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે. તેણે TATA IPL 2022માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

તેણે આગળ ટ્વિટ કર્યું કે અમે આ સિઝનમાં ઘણી હાઈ વોલ્ટેજ ગેમ જોઈ છે. આ મેચો માટે પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેને ઘણી મહેનત કરી છે. આવી સ્થિતિમાં, CCI, વાનખેડે, DY પાટિલ અને MCA, પુણેના દરેક પીચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ઈડન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચ ક્યુરેટરને 12.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી IPL 2022નું ટાઇટલ કબજે કર્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી.