આંખોની આ સરળ એક્સેસાઇઝ ઓફિસમાં બેઠા-બેઠા પણ તમે કરી શકો છો, જાણો કેવી રીતે કરશો સ્ટેપ બાય સ્ટેપ
આજના સમયમાં, આપણે 9 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવીએ છીએ, આ કારણે આંખોની સમસ્યા પણ વધી છે. જે લોકો કમ્પ્યુટર પર કામ કરે છે, એ પછી સીધા મોબાઇલ પર જોવાનું શરૂ કરે છે. આગામી સમયમાં આંખોના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જો કે, કેટલાક એવા સરળ ઉપાય છે જેમને અનુસરીને તમે તમારી આંખોમાં રાહત અનુભવી શકો છે. તો ચાલો અમે તમને જણાવીએ થોડા ઉપાય અને કસરતો વિશે જેની મદદથી તમે તમારી આંખોની ઘણી સમસ્યા દૂર કરી શકો છો.
આંખોની સમસ્યા દૂર કરવા માટેની કસરતો –
1. આંખોની મુવમેન્ટ
આપણે કામ કરતા સમયે સતત કમ્પ્યુટર અથવા મોબાઈલ પર નજર રાખીએ છીએ, ત્યારબાદ થોડા સમય માટે આપણે થોડીક સેકંડ આસપાસ જોવાનું શરૂ કરીએ છીએ, તો આંખોમાં દુખાવો થવા લાગે છે. આ તકલીફ દૂર કરવા માટે તમે તમારી ખુરશી પર આરામથી બેસો, હવે વિચારો કે તમારી સામે ઘડિયાળ છે. પ્રથમ 12 વાગ્યા તરફ નજર રાખો અને પછી ધીમે-ધીમે ઘડિયાળના કાંટા સાથે આંખો ફેરવતા ફેરવતા 6 વાગ્યા સુધી જુઓ. આ કસરત કરવાથી તમારી આંખોમાં ઘણી રાહત થશે.
2. જમણી-ડાબી, ઉપર-નીચે મુવમેન્ટ
તમારી આંખોને સેટ કરો. ત્યારબાદ તમારી આંખો 9 વાગ્યાના કાંટા પાસે રાખો, હવે કાંટા સાથે તમારી આંખો ફેરવો. પછી જ્યાં સુધી કાટો 3 વાગ્યા સુધી આવે ત્યાં સુધી આંખો ફેરવો. હવે 11, 2, 4 અને 7 પર સમાન ક્રમમાં આંખો કાંટા સાથે ફેરવો.
3. નજીક અને દૂર
ઘણી વાર આંખોને એક જ સ્થળે લાંબા સમય સુધી રાખવાથી દૂર-નજીકની તકલીફ થાય છે. આવી સ્થિતિમાં, તમે તમારો અંગૂઠો દૂર સુધી લઈ જાવ. આ 10 વાર કરો. તમે તમારા અંગૂઠાને જ્યાં સુધી ખસેડી શકો ત્યાં સુધી ખસેડો, પછી ધીમે ધીમે તેને નાકની નજીક લાવો. હવે તેનું ઊંધું કરો. આ પણ 10 વાર કરો.
4. આંખો સાફ કરો
ઘણી વાર આપણે કહીએ છીએ કે આંખોમાં બળતરા થાય છે. આંખો સાફ કરવાનો એક સરળ ઉપાય છે. કોઈપણ વસ્તુ તમારી સામે રાખો અને તેના પર એક નજર રાખીને જોતા રહો. તમે ત્યાં સુધી તમારી પાંપણ ન ઝબકવાતા જ્યાં સુધી તમારી આંખો પાણીયુક્ત ન થાય. ધીમે ધીમે તમારી આંખોમાં પાણી આવવાનું શરૂ થઈ જશે. થોડા સમય પછી તમે હળવાશ અનુભશો.
આંખોને સ્વસ્થ રાખવા માટેના ઘરેલુ ઉપાય –
કાકડી
આંખોને સ્વસ્થ રાખવા માટે કાકડી એ સારવાર માટેનું એક સારું સાધન છે. આ માટે કાકડીના ગોળ કાપી નાખો અને તેને તમારી આંખો પર રાખો, પછી તેને થોડા સમય માટે રહેવા દો. હવે તમારી આંખને સાફ પાણીથી ધોઈ લો. તેનાથી આંખોની નીચેની ત્વચામાં કડકતા આવે છે. કાકડીમાં 70 ટકા જેટલું પાણી જોવા મળે છે જે ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે અને આંખોમાં થતી બળતરા પણ દૂર કરે છે.
ટમેટા
ટમેટાંમાં જોવા મળતી લાઈકોપીન આંખો માટે વધુ સારું માનવામાં આવે છે. આટલું જ નહીં, તેમાં લ્યુટિન અને બીટા કેરોટિન પણ જોવા મળે છે. સંશોધન મુજબ આ બધા પોષક તત્ત્વો આંખોનો પ્રકાશ વધારવામાં અને આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ગુલાબજળ
જયારે પણ તમારી આંખોમાં કોઈપણ બળતરા થતી હોય, ત્યારે આંખોમાં ગુલાબજળના થોડા ટીપાં નાખવાથી થાક અને બળતરા બંને દૂર થશે. જો તમે ઈચ્છો છો, તો તમે રૂના ટુકડા પર ગુલાબજળ નાખીને તેને આંખો પર રાખી શકો છો, આ ઉપાયથી તમને ઘણી રાહત મળશે.
ગરમ પાણી
જો તમારી આંખોમાં કોઈ સોજો અથવા બળતરા થાય છે, ત્યારે ઈજાના એક કે બે દિવસ પછી, આંખોની આસપાસ કાળાશ દેખાય છે. આ સ્થિતિમાં, ગરમ પાણીનો શેક પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આ આંખોની આજુબાજુના પેશીઓમાં લોહીનો પ્રવાહ વધારે છે, જે સોજાને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે, એક કપડાંને ગરમ પાણીમાં પલાળો, પછી તેને સારી રીતે સ્વીઝ કરો જેથી કપડામાં પાણી ન રહે, પછી કપડું ઠંડુ ન થાય ત્યાં સુધી તેને ઇજાગ્રસ્ત સ્થળ પર રાખો. આ ઉપાય દિવસમાં ઘણી વખત કરી શકાય છે.
બટેટા
બટેટામાં બળતરા દૂર કરવાની ક્ષમતા હોય છે. આ સાથે તે સોજા પણ ઘટાડે છે. આ માટે બટેટાના ટુકડાને ગોળ કાપો અને તેને આંખ પર લગાવો. બટેટાના ટુકડા બે થી ત્રણ કલાક સુધી આંખ પર સ્થિર રાખો. જો તમે ઇચ્છો તો આંખ પર બટેટાનો રસ પણ લગાવી શકો છો.
આમળા
આમળામાં વિટામિન સી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી આમળાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આંખોની રોશનીમાં વધારો થાય છે. મોતિયાથી પીડિત લોકોએ દરરોજ 1-1 ચમચી આમળાનો પાવડર અને મધનું સેવન કરવું જોઈએ.
ત્રિફળા
ત્રિફળા પાવડર પણ આંખો માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. એક ચમચી ત્રિફલા પાવડરને પાણીમાં નાંખો અને તેને આખી રાત પલળવા દો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળી લો અને આ પાણીથી તમારી આંખો ધોઈ લો. એક મહિનાની અંદર તમારી આંખોની દ્રષ્ટિમાં સુધારો થવાનું શરૂ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત