જો રાખશો આ બાબતોનુ ખાસ ધ્યાન, તો ગરમીમાં નહિં નીકળે અળાઇઓ
ઉનાળામાં, દરેકને બાળકોથી લઈને વડીલો સુધી ત્વચાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આ ઋતુમાં, ખાસ કરીને નાના બાળકોની સંભાળ લેવી ખાસ જરૂરી છે. કારણ કે બાળકોની ત્વચા ખૂબ જ નાજુક અને નરમ હોય છે. આવી સ્થિતિમાં, તેમના પર બદલાતા હવામાનની અસર ખૂબ જ ઝડપથી થાય છે.
અતિશય સૂર્યપ્રકાશમાં બાળકને બહાર લઈ જવાથી, તેમની ત્વચા પર ફોલ્લીઓ, અળાઈ અને રેસિઝ વગેરેનું જોખમ વધી જાય છે. આ કારણોસર પણ બાળકની વર્તણૂકમાં ચિડચિડાપણું આવે છે. તેથી, આ ઋતુ દરમિયાન માતા-પિતાએ બાળકોની સંભાળ રાખવા માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તો ચાલો જાણીએ ઉનાળા દરમિયાન નાના બાળકોની સંભાળ રાખવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
અળાઈઓથી રક્ષણ આપો
ઘણા બાળકો ઉનાળાની ઋતુમાં અળાઈઓની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં, બાળકના ચહેરા, ગળા, હાથ અને પગ પર લાલ ફોલ્લીઓ થઈ જાય છે. આને લીધે, બાળકને બળતરા અને ખંજવાળ આવે છે. ઉપરાંત, બાળકના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવે છે. તેથી ઉનાળાની ઋતુમાં બાળકની વિશેષ કાળજી લેવી જોઈએ. આ માટે બાળકની સંભાળ રાખવા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે…
– બાળકને નવશેકા પાણીથી નવડાવવું.
– માત્ર માઈલ્ડ સાબુનો ઉપયોગ કરો.
– બાળકને ખૂબ ઢીલા કે ચુસ્ત કપડાં પહેરાવશો નહીં.
– આખો દિવસ ડાયપર પહેરવાથી તેની ત્વચા પર ફોલ્લીઓ કે રેસિઝ થઈ શકે છે. આ માટે, ઘરે હોવ ત્યારે ડાયપર ન પહેરાવશો.
– બાળકને ઠંડા અને શાંત વાતાવરણમાં જ રાખો. જો તમે ઇચ્છો, તો 25 ડિગ્રી પર એસી ચલાવી શકો છો.
– તડકામાં બાળકને લઈ જવાનું ટાળો.
– દરરોજ સ્નાન કરાવો અને તેને પાવડર અને લોશન લગાવો.
– તડકામાં બહાર નીકળવાનાં 20 મિનિટ પહેલાં બાળકને થોડી માત્રામાં સનસ્ક્રીન લગાવો.
બાળકને તડકામાં ન લઈ જાવ
બાળકને ક્યાંક બહાર લઈ જતા વખતે સીધા સૂર્યપ્રકાશમાં ન લાવો. બાળકની ત્વચા ખૂબ જ નરમ હોય છે. તેથી તડકામાં બહાર જતાં પહેલાં સંપૂર્ણ-સ્લીવ્ડ કપડાં અને ટોપી પહેરાવો. સૂર્યના કિરણો સીધા બાળકની આંખો પર ન આવે તેના માટે ચશ્મા પહેરાવો. તમે તમારી સાથે છત્રી પણ રાખી શકો છો. આ સાથે, બાળક સાથે થોડા સમય માટે જ બહાર જાઓ.
એલર્જી ટેસ્ટ કરાવો
બાળકની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. આ સ્થિતિમાં, કોઈપણ લોશન લગાવવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. તેથી, તેને કોઈપણ લોશન લગાવતા પહેલા, ડૉક્ટર પાસે જાવ અને બાળકનો એલર્જી ટેસ્ટ કરાવો. આમ, ડૉક્ટરના કહ્યા મુજબના જ લોશનનો ઉપયોગ કરો.
બેબી પાવડરનો ઉપયોગ ઓછો કરો
જ્યારે બાળકને જરૂર હોય ત્યારે જ બેબી પાવડર લગાવો. પાવડરને વારંવાર લગાવવાથી બાળકની ત્વચા શુષ્ક અને નિર્જીવ બની શકે છે. ઉપરાંત, કેમિકલયુક્ત પાવડરનો ઉપયોગ કરવાથી બાળકની ત્વચાને નુકસાન થાય છે અને ફોલ્લીઓ કે રેસિઝ પણ થાય છે. આવી સ્થિતિમાં, બાળકની વર્તણૂકમાં ચીડિયાપણું પણ આવી શકે છે.
પૂરતી માત્રામાં પાણી પીવડાવો
ઉનાળામાં બાળકને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે, તેને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવડાવો. જો તમારું બાળક 6 મહિનાથી નાનું છે, તો તેને પાણી પીવડાવશો નહીં. કારણ કે આ ઉંમરના બાળકો સ્તનપાન કરતા હોય છે, જેમાંથી તેમને બધા પોષક તત્વો મળી રહે છે. 6 મહિનાથી વધુ ઉંમરના બાળકોને દર 30 મિનિટમાં આશરે 2-3 ચમચી પાણી આપવું જોઈએ. આ સિવાય તેમને મોસમી ફળ, શાકભાજી, દાળનું પાણી જેવી વસ્તુઓ પીવડાવતી રહેવી જોઈએ.
દિવસમાં બે વાર સ્નાન કરાવો
ઉનાળામાં, બાળકોને 2 વખત સ્નાન કરાવવું. નહાવાથી બાળકોની ત્વચા સાફ થશે અને તેઓ આખો દિવસ તાજગી અનુભવે છે. જો તમારું બાળક નહાવામાં હેરાન કરે છે, તો પછી દિવસમાં ઓછામાં ઓછું 1 વખત તો તેને સ્નાન કરાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત