આજે જ જાણી લો વધુ પ્રમાણમાં ભાત ખાવાથી સ્વાસ્થ્યને શું થાય છે ભયંકર નુકસાન…

તમે કદાચ જાણો છો કે ડાંગરના બીજને ચોખા કહે છે.ભારતમાં રાંધેલા ચોખાને ભાત કહેવામાં આવે છે.લગભગ દરેક લોકો ભાત ખાવાનું પસંદ છે અને બધા લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.પરંતુ શું તમે જાણો છો કે આ ભાત તમારા શરીરને કંઈક નુકસાન પહોંચાડે છે જેના વિશે તમે ક્યારેય નહીં વિચાર્યું હોય.મોટાભાગના લોકો ભાતને મીઠાઈ સાથે ખાવાનું પણ પસંદ કરે છે.આ સિવાય જો આપણી પ્લેટમાં ભાત ન હોય તો આપણને આપણો ખોરાક અધૂરો લાગે છે અને જો ભાત થાળીમાં આવે,તો બસ એવું લાગે છે કે હવે પેટ ભરાઈ જશે.તમે જાણતા હશો કે ચોખાના બે પ્રકાર છે,એક સફેદ અને બીજા પીળા,જેને બ્રાઉન રાઇસ પણ કહેવામાં આવે છે.

image source

જેમાંથી સફેદ ચોખા આપણા શરીર માટે હાનિકારક છે.હવે તમે વિચારતા જ હશો કે આ બધા ચોખા જ છે,તો પછી તેમના રંગમાં આ તફાવત કેવી રીતે.ઠીક છે,કેટલાક લોકો તેના વિશે જાણતા હશે.પરંતુ અમે જણાવી દઈએ કે સફેદ ભાતનો એક સ્તર કાઢી નાખવામાં આવે છે,જેને સામાન્ય ભાષામાં પોલિશ્ડ ચોખા કહેવામાં આવે છે અને પીળા ચોખાનો ઉપરનો સ્તર કાઢી શકાતો નથી કારણ કે તે તેને સૌથી પેહલા હળવું શેકવામાં આવે છે,તેથી તેનું સ્તર જાડું થઈ જાય છે.હવે તમે વિચારતા જ હશો કે જ્યારે સફેદ ચોખા એટલા હાનિકારક છે, તો પછી તે બજારમાં આટલું શા માટે વેચાય છે,તેનું એક મુખ્ય કારણ એ છે કે ચોખાને પોલિશ કરતી વખતે તેના લગભગ 95 ટકા પોષક તત્વોને દૂર કરે છે,જેથી આ ચોખા લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે અને તે બગડતા નથી.

image source

લગભગ દરેક લોકો રોજ સફેદ ચોખાનું સેવન કરે છે.મોટાભાગના લોકોને ચોખા વિશે માત્ર એટલું જ ખબર હોય છે કે ચોખા ખાવાથી પેટમાં અસ્વસ્થતા આવે છે,પરંતુ તે જાડાપણું વધવાનું કારણ પણ બને છે.તમને જણાવી દઇએ કે ચોખા ખાવાથી ખૂબ જ ગંભીર ગેરફાયદાઓ થાય છે જે તમારે જાણવું જ જોઇએ,જેથી સમયસર તમે ચોખાના કારણે થતા નુકસાનથી બચી શકો.તો ચાલો અમે તમને જણાવીએ ચોખા ખાવાથી થતા ગેરફાયદાઓ વિશે.

image source

ઘણા લોકો એવા હોય છે જે હંમેશાં બીમાર રહે જ છે,તે થોડા દિવસો માટે સાજા થાય,ત્યાં તરત જ પછી કેટલીક સમસ્યાઓ ફરીથી શરૂ થાય છે,જેના કારણે તેમને વારંવાર દવાઓ લેવી પડે છે.આનું એક કારણ શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધારે પણ હોય શકે છે.સફેદ ચોખા એક ખૂબ જ એસિડિક ખોરાક છે,જે તમારા શરીરને ખૂબ એસિડિક બનાવે છે.તમને જાણીને આશ્ચર્ય થશે પણ આપણા શરીરમાં રોગોનું મુખ્ય કારણ એસિડિટી જ છે.

image source

તમે કદાચ જાણતા હશો કે મનુષ્યના પેટને સાફ કરવામાં ફાયબર ખૂબ મદદ કરે છે.ચોખાના સેવનને કારણે પેટના ઘણા રોગો થાય છે કારણ કે ચોખામાં ફાયબર હોતું નથી અને જયારે તમે ભાત ખાવ છો,ત્યારે તે પેટમાં જ્યાં-ત્યાં ચોંટી જાય છે,જે પેટમાં ઘણા રોગોને જન્મ આપે છે.

image source

ઘણા વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં અને ઘણા લોકો નોકરીમાં જાય ત્યાં સુઈ જ જાય છે,તે લોકો સુવા નથી માંગતા પરંતુ થાક અને ઊંઘના કારણે તે લોકોને ઊંઘ લેવી જરૂરી થઈ જાય છે.આનું મુખ્ય કારણ ભાત હોઈ શકે છે કારણ કે ચોખામાં વિટામિન બી 1 જોવા મળે છે,જેના કારણે શરીર સુસ્ત થઈ જાય છે,આ ઉપરાંત મગજ પણ થાકી જાય છે,જેના કારણે બાળકોનું વાંચનમાં અને નોકરી કરતા લોકોનું તેમની ઓફિસમાં ધ્યાન રહેતું નથી.જેના કારણે તે પાછળ રહે છે.

આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીઝ થઈ શકે છે,જેનું કારણ ભાતનું સેવન કરવું પણ હોય શકે છે.કારણ કે ભાતના સેવનથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને શરીરમાં ખાંડ ઉંચા સ્તરે પહોંચે છે,જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જીવલેણ બની શકે છે.

image source

આપણા શરીરને કાર્ય કરવા માટે ખનીજની જરૂર હોય છે.જે ચોખામાં ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે, જેના કારણે આપણા શરીરના તમામ અવયવો બરાબર કામ કરતા નથી અથવા બગડે છે.

100 ગ્રામ ભાતનું સેવન 86 ગ્રામ ખાંડ બરાબર છે.એટલે કે 100 ગ્રામ ભાત બરાબર 86 ગ્રામ ખાંડ આપણા શરીરમાં જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત