ભારતને મળ્યું કન્ટ્રી ઓફ ઓનરનું સમ્માન, પીએમ મોદીએ જણાવ્યું દેશ માટે આ કેમ છે ખાસ
2022 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ વર્ષે પ્રથમ વખત ભારત ફિલ્મ ફેસ્ટિવલમાં ‘કન્ટ્રી ઓફ ઓનર’ તરીકે હાજરી આપવા જઈ રહ્યું છે. કાન્સ 2022માં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળની હાજરી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશ જારી કર્યો છે.
ભારતને અધિકૃત રૂપથી કન્ટ્રી ઓફ ઓનર તરીકે માન્યતા આપવા અંગે, PM મોદીએ કહ્યું, “માર્ચે ડુ ફિલ્મ – ફેસ્ટિવલ ડી કાન્સમાં કન્ટ્રી ઓફ ઓનર તરીકે ભારતની સહભાગીતા વિશે જાણીને આનંદ થયો. ભારત પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 75મી વર્ષગાંઠ તેમજ ફ્રાન્સ સાથે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂરો થવાનો આનંદ લઈ રહ્યો છે
Delighted about India’s participation as a Country of Honour at Marché du Film-festival de Cannes. As India celebrates its 75th yr of independence,75th anniversary of Cannes Film Festival&75 yrs of Indo-French diplomatic ties enhance pride associated with momentous milestones: PM pic.twitter.com/Q2FJsjubeh
— ANI (@ANI) May 17, 2022
PM એ કહ્યું કે એ જાણીને આનંદ થયો કે ભારતના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંથી એક સત્યજીત રેની એક ફિલ્મ કાન્સ ક્લાસિક્સ વિભાગમાં સ્ક્રીનિંગ માટે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વડા પ્રધાન આગળ કહે છે, “અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સૌથી વધુ ફિલ્મો બને છે. અહીં વિવિધ ભાષાઓમાં ફિલ્મો બને છે. આપણા ફિલ્મ ક્ષેત્રની વિવિધતા નોંધપાત્ર છે.”
પીએમ મોદીએ કહ્યું, “ફિલ્મ અને સમાજ એકબીજાના દર્પણ છે. સિનેમા માનવ લાગણીઓ અને અભિવ્યક્તિઓને કલાત્મક રીતે દર્શાવે છે જે વિશ્વને મનોરંજનના સામાન્ય થ્રેડ સાથે જોડે છે. ભારતમાંથી ઘણા સ્ટાર્ટઅપ્સ સિનેમા જગતને તેમની શક્તિ બતાવશે. ઈન્ડિયા પેવેલિયન ભારતીય સિનેમાના પાસાઓનું પ્રદર્શન કરશે અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને શિક્ષણને પ્રોત્સાહન આપશે.