કોવીડનુ આ નવું લક્ષણ સ્ત્રીઓ માટે બની શકે છે જીવલેણ, જાણો અને રહો સાવચેત…
મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસના બીજા અમુક નવા લક્ષણોના કારણે સામાન્ય લોકોથી લઈને ડોકટરો સુધીના તમામ લોકો ચિંતાતૂર થઈ ચુક્યા છે પરંતુ, જો કોઈને પણ આ વાયરસથી સૌથી વધુ જોખમ છે તો તે સ્ત્રીઓ છે. ચાલો આપણે જાણીએ કે, સ્ત્રીઓ માટે કેમ છે આ કોરોના વધુ પડતુ જીવલેણ.
અમુક સંશોધન એવુ બતાવે છે કે, પીકોસ પોલિસિસ્ટિક અંડાશયના સિંડ્રોમથી પીડિત મહિલાઓને કોરોના વાયરસનુ જોખમ વધારે રહે છે. વર્ષ ૨૦૧૯ના અંતમાં શરૂ થયેલ કોરોના રોગચાળાએ અત્યાર સુધીમાં લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હજી સુધી લાખો લોકો આ વાયરસની લપેટમાં આવી ગયા છે. જો કે આ વાયરસથી બચવા માટે વૈજ્ઞાનિકો દ્વારા કેટલીક રસી પણ તૈયાર કરવામાં આવી હતી પરંતુ, હવે આ વાયરસનો નવો લક્ષણ આવી ગયો છે.
આ રસી કેટલી અસરકારક છે તે કહેવું પણ મુશ્કેલ છે. વૃદ્ધો, બાળકો અને યુવાનોને કોરોનાના આ નવા લક્ષણનુ જોખમ છે. તેથી, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, અથવા જેઓ કિડની અથવા હાર્ટ સંબંધિત રોગોથી પીડિત છે તેમની તરફ વધુ કાળજી લેવાની જરૂર છે. પરંતુ જો આ લક્ષણથી સૌથી વધુ ભય સ્ત્રીઓ પર રહેલો છે.
બર્મિંગહામ યુનિવર્સિટીમા હાલ તાજેતરના સંશોધન મુજબ રિપોર્ટ કરવામાં આવ્યું છે કે, પી.સી.ઓ.એસ. ધરાવતી સ્ત્રીઓ માટે કોરોના વાયરસ વધુ જોખમ ધરાવે છે. તમને જણાવી દઇએ કે, આ મહિલાઓમાં હોર્મોન સંબંધિત સમસ્યા છે. સામાન્ય મહિલાઓની તુલનામાં કોરોનાની આ સમસ્યાથી પીડિત મહિલાઓની સંભાવના ૫૦ ટકાથી વધુ છે.
આપણે બધા કોરોના વાયરસની ગંભીરતાથી પરિચિત છીએ. આ વાયરસને કારણે, સમગ્ર વિશ્વના લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. પીસીઓએસથી પીડિત મહિલાઓ પર કરવામાં આવેલા આ જ સંશોધનથી મહિલાઓ વધુ ડરી ગઈ છે. આ સંશોધન અંતર્ગત ૨૧,૨૯૨ આવી મહિલાઓને પીસીઓએસ નિદાન થયું છે.
તે જ સમયે ૭૮,૩૧૦ એવી મહિલાઓ હતી કે જેમની પાસે પી.સી.ઓ.એસ ન હતી તેમને લેવામાં આવ્યા. આ સંશોધન ૬ માસ સુધી ચાલ્યું અને જાણવા મળ્યું કે, પીસીઓએસથી પીડિત મહિલાઓમાં કોરોના પોઝિટિવ થવાની સંભાવના ૫૧% વધારે હોય છે.
જેમકે, કોરોના એ દરેક માટે એક ખતરનાક રોગ છે અને કોઈપણ તેનાથી ફસાઈ શકે છે પરંતુ, જો પી.સી.ઓ.એસ.થી પીડિત મહિલાઓને આ વાયરસનો ચેપ લાગ્યો છે, તો ૫૦ ટકાથી વધુ સંભાવના છે કે તેઓ કોરોના પોઝિટિવ બનશે. બીજી તરફ, જો અન્ય સંશોધનને ધ્યાનમાં લેવામાં આવે તો તેણી કહે છે કે, ટાઇપ-૨ ડાયાબિટીઝ, નોન-ફેટી લીવર એસિડ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત વ્યક્તિ આ વાયરસની ઝપેટમાં આવી શકે છે માટે આ અંગે વિશેષ સાવચેતી રાખવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત