જો તમે એક વાર ફોલો કરશો આ ટિપ્સ, તો ચહેરા પરના ડાઘા+ધબ્બા+ખીલમાંથી માત્ર અઠવાડિયામાં જ મળી જશે છૂટકારો
સુંદર ચહેરો કોને નથી ગમતો,પરંતુ કેટલીકવાર આપણે કામથી એટલા કંટાળી જઈએ છીએ કે આપણને પોતાને માટે સમય મળ્યો નથી,તેથી આપણે આપણા ચેહરા માટે પણ કઈ નથી કરી શકતા.ઘણા લોકોને તો પિમ્પલ્સ અથવા ચિકન પોક્સને કારણે આખા ચેહરા પર ડાઘ થઈ જાય છે અને તે ડાઘ પર નાના નાના ખાડાઓ થાય છે,જે આપણા ચેહરાની સુંદરતા બગાડે છે.તેથી આજે અમે તમને એવા ઉપાય જણાવીશું,જેની મદદથી તમે આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો.
આ ઉપાયમાં સૌથી પેહલા તમારે એક બટેટાની જરુર પડશે.હવે આ બટેટાની છાલ કાઢી નાખો,ત્યારબાદ બટેટાને છીણી લો.હવે તેનો રસ કાઢો અને તે રસને ગલી લો.ત્યારબાદ આ રસમાં અડધા લીંબુનો રસ ઉમેરો, લીંબુમાં વિટામિન સી હોય છે,જે ચહેરા પરથી દાગ દૂર કરવામાં મદદ કરે છે,હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો.હવે આ પેસ્ટને તમારી આંગળીઓની મદદથી તમારા ચહેરા પર લગાવો,હવે તેને સુકાવા દો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સામાન્ય પાણીથી ધોઈ લો,શ્રેષ્ઠ પરિણામ માટે તમે આ ઉપાય દિવસમાં બે વાર કરી શકો છો અને દર વખતે નવી પેસ્ટ જ બનાવો,બચેલી પેસ્ટનો ઉપયોગ તમારા ચેહરા પર ન કરવો.થોડા દિવસો સુધી આ ઉપાય અજમાવવાથી તમારા ચેહરાની ફોલ્લીઓ દૂર થઈ જશે અને તમારા ચેહરા પરના ખાડા પણ ભરાઈ જશે.
તમારા ચેહરાના ડાઘ દૂર કરવા માટે તમે લીંબુ,હળદર અને મધની પેસ્ટ પણ તમારા ચેહરા પર લગાવી શકો છો.આ માટે આ ત્રણેયનું એક મિક્ષણ તૈયાર કરો અને તે પેસ્ટને તમારા ચેહરા પર લગાવો.જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે સ્વચ્છ પાણીથી તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય અજમાવવાથી તમારા ચેહરા પરના ડાઘ અને ખાડાઓ દૂર થશે.
તમારા ચેહરા પરના ડાઘાઓ ખુબ વધારે છે,તો આ મેટા બે ટીપા ગ્લિસરીન,લીંબુનો રસ અને મધને મિક્સ કરી એક મિક્ષણ બનાવો.ત્યારબાદ આ મિક્ષણ તમારા ચેહરા પર લગાવો અને તમારા ચેહરાની ધીરે-ધીરે મસાજ કરો.હવે આ મિક્ષણ તમારા ચેહરા પર 30 મિનિટ માટે રહેવા દો.ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.આ ઘરેલુ ઉપાયનો ઉપયોગ નિયમિત કરવાથી તમારા ચેહરા પરના જુના ડાઘો પણ દૂર થશે.
ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ ઉમેરો અને એક પેસ્ટ બનાવો.ત્યારબાદ આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો.તમારા ચેહરા પર આ પેસ્ટ 40 મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.આ ઉપાય દરરોજ અજમાવવાથી તમારા ચેહરાના ડાઘ તો દૂર થશે જ પણ સાથે તમારા ચેહરાનો ગ્લો પણ વધશે.
તમારા ચેહરાના ડાઘ દૂર કરવા માટે દૂધ પણ ખુબ અસરકારક છે.આ માટે તમે એક વાટકી દૂધ લો અને તેમાં થોડી હળદર ઉમેરો.હળદરના ગુણધર્મો વિશે તો બધા જાણે જ છે,ચેહરા પર હળદરનો ઉપયોગ કરવાથી ચેહરાની દરેક સમસ્યા દૂર થાય છે.દૂધ અને હળદરના આ મિક્ષણને રૂની મદદથી તમારા ચેહરા પર લગાવો.ત્યારબાદ તમારો ચેહરો સાફ પાણીથી ધોઈ લો.જો તમારી ત્વચા ઓયલી છે તો તમે આ મિક્ષણમાં લીંબુના થોડા ટીપા ઉમેરી શકો છો.
તમારા ચેહરાના ખાડાઓ દૂર કરવા માટે સૌથી પેહલા તમે ગુલાબની પાંખડીઓને ક્રશ કરી તેમાં થોડું દૂધ ઉમેરો,ત્યારબાદ આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો.આ ઉપાય અજમાવવાથી તમારા ચેહરાના ખાડાઓ તો દૂર થશે જ સાથે તમારા ચેહરાનો ગ્લો પણ વધશે.
તમારા ચેહરા પરના ખાડાઓ અને ડાઘાઓ દૂર કરવા માટે દહીંમાં થોડી હળદર ઉમેરો અને એક ઘરેલુ ફેસપેક તૈયાર કરો.ત્યારબાદ આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને આ પેસ્ટ સુકાય જાય પછી તમારા ચેહરાને સાફ પાણીથી ધોઈ લો.આ ઉપાય નિયમિત અજમાવવાથી તમારા ચેહરાની દરેક સમસ્યા દૂર થશે.
તમે દહીંમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેરીને પણ તેની પેસ્ટ તમારા ચેહરા પર લગાવી શકો છો.આ ઉપાય પણ તમારા ચેહરા પરની સમસ્યા દૂર કરવા માટે અસરકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત