એક્સપર્ટ ઓપિનિયનઃ શું ઓછી ઊંઘના કારણે વધે છે વજન, જાણો કામની વાત

અનેક વાર એવું બને છે કે લોકોની ઊંઘ પૂરી ન થવાના કારણે તેઓ ચિડિયા કરે છે અને સાથે તેમને જરૂર કરતા વધારે ભૂખ પણ લાગે છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે ઓછી ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ રહેવા માટે સારા ખાન પાન અને સાથે ભરપૂર ઊંઘની જરૂર રહે છે. પણ શું તમે જાણો છો કે રાતે ઊંઘ પૂરી ન થવાના કારણે તમારું વજન વધે છે. અને સાથે તમે ચિઢિયા પણું પણ અનુભવો છો. આ સિવાય અનેક લોકો વધારે કેલેરી ઇનટેક કરી લેતા હોય છે, જેના કારણે તેઓ શાંત રહી શકે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ઓછી ઊંઘ લેવાની સાથે તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે અને કઈ રીતે ઊંઘ વજન વધારવાનું કારણ બને છે.

ઊંઘ ન આવે તો લાગે છે વધારે ભૂખ

image source

જો તમે રાતના સમયે 7-8 કલાકની ઊંઘ લેતા નથી તો તમારું મેટાબોલિઝમ બગડે છે અને વજન ઘટાડવામાં મદદ મળતી નથી. જરૂરી છે કે લગભગ 8 કલાકની ઊંઘ લો. તેનાથી તમને ભૂખ ઓછી લાગશે અને તમારું મેટાબોલિઝમ પણ સારું રહેશે. ભૂખ લાગવાના માટે 2 હોર્મોન જવાબદાર છે. એક ગૈરલીન અને બીજું લૈપટીન, જ્યારે તમે પૂરતી ઊંઘ લો છો તો શરીરમાં તેનું પ્રમાણ વધે છે. તેનાથી તમે જરૂરિયાત કરતા વધારે ભોજન ખાવા લાગો છો.

ઘટે છે મેટાબોલિઝમ રેટ

image source

2016ના સ્ટડીના અનુસાર જે લોકો રાતના સમયે સારી ઊંઘ લેતા નથી તેઓ બીજા દિવસે વધારે ખાવાનું ખાય છે, રિપોર્ટમાં કહેવાયું છે કે એક સામાન્ય માણસે દિવસમાં 385 કેલેરી લેવી જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે કે ઊંઘ પૂરતા પ્રમાણમાં ન લેવાના કારણે તમે ખાવાનામાં ફેટ વધારે લઈ લો છો અને પ્રોટીન ઓછું લો છો. આવું એટલા માટે થાય છે કે તમને પૂરી ઊંઘ મળતી નથી અને તમે જંકફૂડ ખાવા લલચાઓ છો. જેનાથી તમારું વજન વધે છે. આ સિવાય તમારી કેલેરી પણ પૂરતા પ્રમાણમાં બર્ન થતી નથી, તેનાથી મેટાબોલિઝમ રેટ ઘટે છે.

જાણો ઓછી ઊંઘના કારણે તમારુ વજન કેટલું વધે છે

image source

એક સ્ટડીના અનુસાર રોજની 385 કેલેરી ખાવાથી 9 દિવસમાં 500 ગ્રામ વજન વધે છે. આ સિવાય ટાઈપ 2 ડાયાબિટિસ, હાઈપર ટેન્સન અને હ્રદય સંબંધી બીમારી થઈ શકે છે. જો તમે તમારું વજન ઘટાડવા ઇચ્છો છો કે પછી તેને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો તમારે 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. રોજના સમયે સૂવું અને યોગ્ય સમયે ઊઠવું જરૂરી છે. જો તમને ઊંઘ નથી આવતી તો તમે સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કે કેટલાક ઘરેલૂ ઉપાયો પણ અજમાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત