ફ્રોઝન ફુડ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે આટલુ બધુ નુકસાન, જાણો અને ખાતા હોવ તો કરી દો બંધ
મિત્રો, પ્રવર્તમાન સમયમા આ વ્યસ્તતા ભરેલા જીવનમા કોઈપણ વ્યક્તિ પાસે સમય નથી. આજના લોકો એટલી હદ સુધી વ્યસ્ત બની ચુક્યા છે કે, કુકિંગ માટે પણ તે લોકો યોગ્ય સમય કાઢી શકતા નથી અને તેના કારણે તે ઘરનુ ભોજન ટાળીને ફ્રોઝન ફૂડનુ સેવન કરવાનુ વધારે પડતુ પસંદ કરે છે.
આજે મોટાભાગના લોકો આ ફ્રોઝન ફૂડનુ સેવન કરવાનુ પસંદ કરે છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ફૂડ્સ કે જેને તમે ઘણા શોખથી ચટકારા લઈને ખાવ છો. તે તમને લાભ નહી પણ નુકસાન અવશ્યપણે પહોંચાડી શકે છે. આ ફૂડ્સના સંરક્ષણ માટે એવી ઘણી બધી વસ્તુઓનો વપરાશ કરવામા આવે છે, જે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમને અનેકવિધ બીમારી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ફૂડ્સ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.
આ ફૂડ્સ ઘણા દિવસો સુધી ખરાબ ના થાય અને તાજુ પણ દેખાય શકે છે અને આ સાથે જ સ્વાદને વધારવા માટે તેમા સ્ટાર્ચનો વપરાશ કરવામા આવે છે. જે ડાયાબીટીસની બીમારીઓ માટે પણ નુકસાનદાયક સાબિત થઇ શકે છે. હાઈડ્રોજેનેટેડ પામ ઓઈલનો વપરાશ પણ ફૂડ્સમા કરવામાં આવે છે. જેમાં ટ્રાંસ ફેટ પણ સમાવિષ્ટ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.
આ ફૂડ્સને સંરક્ષિત કરવા માટે ગ્લૂકોઝ અને સ્ટાર્ચથી બનેલ કોર્ન સિરપનો વપરાશ કરવામા આવે છે. જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ ફૂડ્સમા સોડિયમનુ પ્રમાણ પણ ખુબ જ વધારે હોય છે. જેનાથી અનેકવિધ પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ સાબિત થઇ શકે છે.
આ ફૂડ્સમા હાજર ટ્રાંસ ફેટ્સ ક્લોજ્ડ ધમનીઓની સમસ્યા વધારે છે. આ સિવાય ટ્રાંસ ફેટ્સ શરીરમા બેડ કોલેસ્ટ્રેલને વધારી ગુડ કોલેસ્ટ્રોલને પણ ખુબ જ ઓછુ કરે છે. જેનાથી હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ સાબિત થઈ શકે છે. એવામા હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ ફૂડ્સ વિશેષ ફ્રોજન મીટથી પૈનક્રિએટિક કેન્સરની સંભાવના વધી જાય છે.
તે સિવાય અનેકવિધ અન્ય સમસ્યાઓ પણ સાબિત થઇ શકે છે. ફેટનુ પ્રમાણ પણ ફ્રોજન ફૂડ્સમા પણ ઘણુ વધારે છે. જેમા કાર્બોહાઈડ્રેટ અથવા પ્રોટીનની સરખામણીમા બે ગણુ પ્રમાણમા કેલરી સમાવિષ્ટ હોય છે, જેનાથી વજન વધી શકે છે. માટે જો તમે તમારા શરીરના સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આ ફૂડનુ સેવન ટાળો અને ઘરનુ શુદ્ધ અને સાત્વિક ભોજન કરવાની આદત કેળવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત