પેટમાં થતી ગેસની સમસ્યાને કાયમી દૂર કરશે આ ઉપાય…

ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે ઘણાં લોકો મોંઘી દવાઓ ખાતાં હોય છે પણ તેનાથી આગળ જતાં આડઅસર ભોગવવી પડે છે. તેમજ ઘણાં લોકો પેટમાં ભરાતા ગેસ એટલે કે ગેસ્ટ્રિકની પ્રોબ્લેમને સામાન્ય સમજીને ઈગ્નોર કરતાં હોય છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ગેસ બનવાના અનેક કારણો હોય છે, જેમાં અનિયમિત ખાનપાન, વધુ ખાટા, તીખા, મરચાં, મસાલાવાળો ખોરાક, ગેસ વધારતા ખોરાક લેવા, રાતે મોડે સુધી જાગવું, ઓછું પાણી પીવું, ચણા, અડદ, વટાણા, મગ, બટાકા, મસૂર, ફ્લાવર, ચોખા વગેરેનું વધુ સેવન સામેલ છે. પરંતુ પેટમાં ગેસ થવાના કારો વિશે જાણી લેવામાં આવે તો આ સમસ્યાથી જલ્દીથી છૂટકારે મેળવી શકાય છે. જેથી આજે અમે તમને એવા આયુર્વેદિક ઉપચારો વિશે જણાવીશું, જે કરવાથી તમારા પેટમાં ગેસ નહીં ભરાય અને તમને આ પ્રોબ્લેમ માટે દવાઓ ખાવી નહીં પડે.

કેમ થાય છે ગેસની સમસ્યા

image source

આંતરડામાં ખરાબ બેક્ટેરિયા જમા થવાને કારણે ડાઈજેશન બરાબર નથી થતું.જેના કારણે પેટમાં ગેસ બને છે. આ પ્રોબ્લેમ પેટમાં ઈન્ફેક્શન, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, કબજિયાતને કારણે પણ થાય છે. ગેસ્ટ્રિક થવાના અનેક કારણો છે. પથરી, લિવરની સમસ્યા, હૃદયની નબળાઈથી પણ ગેસ બને છે. યૂટ્રસને કોઈ ફાઇબ્રોઇડ હોય અથવા સોજા હોય તો પણ ગેસની સમસ્યા થઈ શકે છે. વડીલોમાં પ્રોસ્ટેટનું વધવું પણ ગેસનું કારણ બને છે. જો તમને માત્ર ગેસની સમસ્યા હોય તો અપનાવો આ ટિપ્સ તેનાથી ગેસની સમસ્યા થઈ જશે દૂરય

પેટની ગેસની સમસ્યાને દૂર કરવા માટેના ઉપાય –

image source

એક ચમચી અજમાની સાથે ચપટી સંચળ ભોજન કર્યા પછી ચાવીને ખાવાથી પેટમાં ગેસ ભરાવાની સમસ્યાથી છુટકારો મળે છે. તેમજ આદુ અને લીંબુનો રસ એક-એક ચમચી લઈને તેમાં સંચળ મિક્સ કરીને જમ્યાં પછી તેનું સેવન કરવું તેનાથી હંમેશા માટે ગેસની તકલીફ દૂર થઈ જશે. તે સિવાય છાસ પણ બહુ ગુણકારી છે. એક ગ્લાસ છાસમાં બે ગ્રામ અજમો અને એક ગ્રામ સંચળ નાખીને જમ્યાં પછી પીવાથી ગેસની સમસ્યા નથી થતી.

image source

– તેમજ જમતી વખતે વચ્ચે-વચ્ચે લસણ અને હિંગ થોડી માત્રામાં ખાતા રહેવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. રોજ 1 નાનકડી હરડ મોંમાં નાખીને ચૂસતા રહેવાથી પણ પેટમાં ગેસ ભરાવાની સમસ્યા દૂર થાય છે. હરડ અને સૂંઠનો પાઉડર, અડધી-અડધી ચમચી લઈને તેમાં સહેજ સિંધાલૂણ મિક્સ કરવાથી ભોજન પછી પાણી પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે.

image source

– તેમજ કાળી ચામાં લીંબુનો રસ અને સિંધાલૂણ નાખીને પીવાથી પેટમાં ગેસ નહીં થાય અને વધારાનો ગસ નીકળી જશે. તેમજ દરરોજ ચપટી હીંગ, સંચળ, અમજમો અને શેકેલો જીરાનો પાવડર હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો. આવું કરવાથી હંમેશા માટે ગેસની સમસ્યાથી છૂટકારો મળશે.

image source

– લસણની બે-ત્રણ કળીને વાટીને તેમાં ચપટી મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી પણ પેટમાં ગેસ નહીં થાય. તે સિવાય એક કપ પાણીમાં એક ચમચી જીરૂં, ચપટી સંચળ અને એક આદુનો ટુકડો નાખીને ઉકાળો, પછી તેમાં મધ મિક્સ કરીને પીવો. આવું દરરોજ કરવાથી પેટની દરેક સમસ્યાથી છૂટકારો મળશે. તેમજ વજન પણ ઓછું થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત