સુર્યમૂખીના બી અનેક બીમારીઓને દૂર કરવા માટે છે અક્સીર, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
‘સૂર્યમુખીના બી’ અંગ્રેજીમાં સનફ્લાવર સીડ્સ તરીકે ઓળખાય છે. સૂર્યમુખીના બીમાં મળતા પોષક તત્ત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સૂર્યમુખીના બીના ઘણાં સ્વાસ્થ્યપ્રદ લાભો છે, જેમાંથી કેટલાક અહીં ઉલ્લેખિત કર્યા છે.
સૂર્યમુખીના બી ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાય છે અને સાથે સાથે તેના ઘણા આરોગ્યપ્રદ લાભો પણ છે. તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. સૂર્યમુખીના બી તેના ગુણધર્મોને કારણે ખૂબ જ લોકપ્રિય છે. આ ખાવાથી તમે માત્ર પોષક તત્ત્વો જ નથી મેળવતા, પરંતુ તમે અનેક રોગોથી પણ દૂર રહો છો. અહીં અમે તમને સૂર્યમુખીના બીના કેટલાક વિશેષ ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બ્લડ પ્રેશર કંટ્રોલ
સૂર્યમુખીના બી મેગ્નેશિયમનો સારો સ્રોત છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતો છે. સંશોધન મુજબ, સૂર્યમુખીમાં હાજર અન્ય પોષક તત્વો સાથે મેગ્નેશિયમ રક્ત પ્રવાહને વિસ્તૃત કરીને રક્ત પ્રવાહને નિયંત્રિત કરે છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
જો તમને હાઇ બીપી હોય તો દરરોજ લગભગ 80 ગ્રામ સૂર્યમુખીના બીજ જરૂર ખાઓ.
બ્લડ સુગર ઘટાડો
અધ્યયનોએ શોધી કાઢયું છે કે સૂર્યમુખીના બીમાં લોહીમાં સુગર ઘટાડતા ક્લોરોજેનિક એસિડ હોય છે. સંશોધન મુજબ દરરોજ આશરે 30 ગ્રામ સૂર્યમુખીના બી ખાવાથી લોહીમાં સુગરના સ્તરમાં 6 અઠવાડિયાની અંદર 10% ઘટાડો થઈ શકે છે.
હ્ર્દય રોગોથી બચાવ
સૂર્યમુખીના બીમાં ફાયટોસ્ટેરોલ્સ વધુ પ્રમાણમાં હોય છે. આ સંયોજન હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ બીમાં ખાસ કરીને વિટામિન ઇ અને ખનિજો હોય છે. વિટામિન ઇમાં બળતરા વિરોધી (એન્ટી ઈંફ્લેમેન્ટરી) ગુણધર્મો હોય છે જે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે.
સંશોધન મુજબ, વિટામિન ઇ ધરાવતો આહાર લેવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.
હાડકાં સ્વસ્થ રહે છે
સૂર્યમુખીના બીમાં પર્યાપ્ત માત્રામાં ચરબી, ખનિજ પ્રદાર્થો, વિટામિન્સ અને પ્રોટીન હોય છે જે હાડકાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે વિટામિન ઇ, વિટામિન બી કોમલેક્સ અને મેગ્નેશિયમથી પણ ભરપૂર છે, જે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સ્ટ્રોકનું જોખમ ઓછું રહે
સ્ટ્રોકનું મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર છે અને હાર્ટ રોગોનું જોખમ પણ ઘટાડે છે. એ જ રીતે, આ બી સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. સૂર્યમુખીના બીમાં એન્ઝાઇમ હોય છે જે રક્ત વાહિનીઓને સંકોચાતા અટકાવે છે. તેમાં હાજર વિટામિન ઇની વધુ માત્રા એવા દર્દીઓ માટે ફાયદાકારક છે જેમને સ્ટ્રોકનું જોખમ હોય છે.
ચમકતી ત્વચા
સૂર્યમુખીના બીમાં વિટામિન ઇ હોય છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે વૃદ્ધત્વના સંકેતોને પણ દૂર કરે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ સિલેનિયમ જોવા મળે છે જે ત્વચાને સુધારવામાં વિટામિન ઇ ની મદદ કરે છે. તેમાં કોપર પણ હોય છે, જે ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન વધારે છે, જેનાથી ત્વચા ગ્લોઇંગ થાય છે.
કેન્સરનું જોખમ ઓછું છે
ઘણાં વિટામિન અને ખનિજ પ્રદાર્થો શરીર, ત્વચા, હાડકાં અને હૃદયને સ્વસ્થ રાખવા માટે સૂર્યમુખીના બીમાં જોવા મળે છે. સંશોધન મુજબ વિટામિન ઇ અને સિલેનિયમની સાથે આ બીમાં રહેલ ફાઈબર કોલોન કેન્સરથી બચાવે છે.
તણાવ દૂર કરવા
ખૂબ સારી માત્રામાં મેગ્નેશિયમ સૂર્યમુખીના બીમાં જોવા મળે છે. આને કારણે, તે ચેતાને હળવા કરે છે અને તાણ મટાડે છે અને માઇગ્રેઇન દૂર કરે છે, જે તમારા મગજને હળવા બનાવે છે. સૂર્યમુખીના બીમાં ટ્રાઇપોફન અને કોલાઇન (Choline) જેવા કુદરતી ઘટકો પણ હોય છે જે ચિંતા અને હતાશા ઘટાડવામાં મદદ કરે છે. તેમાં હાજર કોલાઇન મગજની કામગીરી સુધારે છે અને યાદશક્તિ વધારે છે.
સૂર્યમુખીનું તેલ અસ્થમા અને તેનાથી સંકળાયેલ લક્ષણો જેમ કે બંધ નાક, શરદી અને ખાંસીને રોકવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત