ઘરમાં બેઠા-બેઠા નબળા પડી જાય છે તમારા હાડકાં, આજથી જ બદલી નાંખો આ આદતો નહિં તો…
ઘણીવાર વ્યક્તિ વય પહેલાં વૃદ્ધ થઈ જાય છે, તેનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી છે. ઘણીવાર લોકો એવું વિચારીને ચાલતા હોય છે કે આપણું કશું થશે નહીં. પરંતુ જો કોઈ શિસ્ત ન હોય તો, શું થાય છે તે કોઈ કહી શકતું નથી. ઘણી વખત, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને, આપણે રોગોને આમંત્રણ આપીએ છીએ. અત્યારે કોરોના દરમિયાન ઘણી વ્યક્તિને ઘરે રહીને જ ઓફિસનું કામ કરવું પડે છે અને લોકો સતત કોમ્પ્યુટર અને લેપટોપ પર બેસીને પોતાનું કામ કરતા રહે છે. આ તમારા હાડકા નબળા બનવાનું એક કારણ હોય શકે છે, આ સિવાય પણ ઘણી આદતોને કારણે તમારા હાડકા નબળા પડી શકે છે. જી હા, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી ખરાબ ટેવ અકાળે તમારા હાડકાંને નબળી બનાવી શકે છે. તો ચાલો જણાવીએ કે એ તેવો કઈ છે અને તમારે તમારા જીવનમાં શું ફેરફાર કરવા જોઈએ.
ઘરે રહીને પણ તમારા હાડકાઓને કેવી રીતે મજબૂત બનાવવું તે જાણીએ.
1. વ્યાયામ અને યોગા –
કસરત અને યોગને તમારી જીવનશૈલીનો એક ભાગ બનાવો. આ તમને શરીરની શક્તિ તેમજ મનને શક્તિ આપશે. ચાલો તમને જણાવી દઈએ કે કસરત અને યોગ વચ્ચે તફાવત છે. કસરત કરવાથી ચયાપચય વધે છે, શારીરિક પ્રવૃત્તિ થાય છે. યોગ કરવાથી તમારું મન અને મગજ પણ સંપૂર્ણ શાંત થઈ જાય છે.
2. મીઠું ના ખાઓ
હા, લોકોને ઘણી વાર ખોરાકમાં મીઠું ઓછું લાગવાના કારણે ખોરાક પર મીઠું નાખવાની ટેવ હોય છે અથવા જ્યારે મીઠું ઓછું હોય ત્યારે તેઓ વધારે ઉમેરતા હોય છે. સલાડમાં પણ મીઠું વધારે લે છે. જો તમે આ કરી રહ્યા છો, તો હવે સાવચેત રહો. વધારે પ્રમાણમાં મીઠાનું સેવન ભૂલથી પણ ન કરો. કારણ કે તે તમારા હાડકાંને નબળા બનાવવાનું કામ કરે છે.
3. વિટામિન ડી અને કેલ્શિયમ –
શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમના અભાવને લીધે, તમારા હાડકાં નબળા થવા લાગે છે અને સમય પહેલા સાંધામાં દુખાવો થાય છે. તેથી, ખોરાકમાં અને નાસ્તામાં કેલ્શિયમયુક્ત વસ્તુઓ ખાઓ. તેમજ સવારે 8 થી 9 સુધી સૂર્યપ્રકાશ લો. આ તમારા શરીરને વિટામિન ડી આપશે. આ સિવાય જો તમે કોઈ વિટામિન્સની સપ્લીમેન્ટ લઈ રહ્યા છો, તો ડોક્ટરની સલાહ મુજબ જ લો.
4. ધૂમ્રપાન ન કરો –
જો તમને ધૂમ્રપાન કરવાની આદત છે, તો ધીમે ધીમે તેને છોડી દો. ધૂમ્રપાન તમારા હાડકા માટે બનાવેલા કોષોને મારી નાખે છે. તેનાથી તમારા હાડકા નબળા પડે છે. આ સાથે હાડકાં સંબંધિત અન્ય સમસ્યાઓ પણ સામે આવવા માંડે છે.
5. વજન ઓછું કરવું –
આજના સમયમાં લોકો વધારે જાડાપણું પસંદ નથી કરતા. જો તમારું વજન સામાન્ય કરતા વધારે છે, તો ચોક્કસપણે તેને ઓછું કરો અને જો તમારું વજન સામાન્ય કરતા પણ ઓછું છે, તો વધુ ઘટાડો નહીં. આવું કરવાથી તમારા ઓસ્ટીયોપોરોસિસ થવાનું જોખમ વધે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત